Site icon Shri Nutan Saurashtra

પુરીના Jagannath temple માં પણ ઘીનું કરવામાં આવશે પરીક્ષણ

Odisha,તા.૨૪

વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ ઉકેલાયો નથી. જ્યાં આને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરને લઈને પણ એક મોટું અપડેટ બહાર આવ્યું છે. તિરુપતિ બાલાજી મંદિરની ઘટના બાદ હવે જગન્નાથ મંદિરમાં પણ કોઈ બેદરકારી ન થાય તે માટે તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં જિલ્લા મેજિસ્ટ્રેટે હવે જગન્નાથ મંદિરમાં વપરાતા ઘીનું પણ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, તિરુપતિ કેસ બાદ પુરી પ્રશાસન સતર્ક થઈ ગયું છે.

આ પહેલા રાજસ્થાન સરકારે પણ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળને લઈને મોટો નિર્ણય લીધો હતો. તાજેતરમાં જ રાજસ્થાન સરકારે રાજ્યના મોટા મંદિરોના પ્રસાદનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ હેઠળ રાજસ્થાનના મોટા મંદિરોના પ્રસાદની તપાસ થવાની છે. ભજનલાલ સરકારે મંદિરોના પ્રસાદની તપાસનો આદેશ આપ્યો છે. સરકારના આદેશ મુજબ, આ તપાસ ૨૬ સપ્ટેમ્બરની વચ્ચે પૂર્ણ થવાની છે. ઉલ્લેખનીય છે કે, ૧૪ મંદિરો પાસે પ્રમાણપત્ર છે. આદેશ બાદ હવે મોટા મંદિરોના પ્રસાદની ચકાસણી કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ સિવાય મથુરાના મંદિરોમાં પ્રસાદની તપાસ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તે જ સમયે, મુખ્ય પૂજારીએ તિરુપતિ પ્રસાદને અયોધ્યાના રામ મંદિરમાં મોકલવા અંગે નિવેદન આપ્યું હતું. લખનઉના મનકામેશ્વર મંદિર દ્વારા બહારથી પ્રસાદ ન લાવવાનો નિયમ જારી કરવામાં આવ્યો છે. અહીં માત્ર હાથથી બનાવેલો પ્રસાદ લાવવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો.

એકંદરે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના માહિતી બહાર આવ્યા બાદ તમામ મંદિરો દ્વારા વધારાની સાવચેતી રાખવામાં આવી રહી છે.

Exit mobile version