Kartik Arya ને વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દેતા ફેન્સ કેમ આટલા ખુશ થયા?

ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે હાલમાં જ શાહિદ કપૂરની સાથે પોતાની નવી ફિલ્મનું એલાન કર્યું છે

Mumbai, તા.૧૮

ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે હાલમાં જ શાહિદ કપૂરની સાથે પોતાની નવી ફિલ્મનું એલાન કર્યું છે. આમ તો ટાઈટલને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં તૃપ્તિ ડિમરી પણ નજર આવશે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. અગાઉ એવી માહિતી સામે આવી હતી કે, કાર્તિક આર્યનને આ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ પોતાના બિઝી શેડ્યૂલને કારણે ના પાડી દીધી હતી. જોકે, કાર્તિક આર્યનના ફેન્સ એ વાતથી ખૂબ ખુશ છે કે તે હવે વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં નથી.કાર્તિક આર્યનના ફેન્સે વિશાલ ભારદ્વાજની ફિલ્મને રિજેક્ટ કરવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, એક્ટરે સાચો નિર્ણય લીધો છે. તેણે આ ફિલ્મ ન કરવી જોઈએ. એક યુઝરે લખ્યું, ‘બહુ ખુશ છું કે કાર્તિક આર્યન ફિલ્મ નથી કરી રહ્યો. બેસ્ટ ડિસીઝન.’ બીજા એકે લખ્યું કે, ‘ભગવાનનો આભાર કે કાર્તિક આર્યન ફિલ્મ છોડી દીધી.’ બીજા એક યુઝરે લખ્યું, ‘રણબીર અને કાર્તિક માત્ર બે જ સ્ટાર્સ એવા છે જેઓ સારી સ્ક્રિપ્ટ પસંદ કરે છે. જ્યારે બીજા સ્ટાર્સ આમ કરતા નથી.સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, ‘કાર્તિક આર્યને ફિલ્મ છોડવાનો સારો નિર્ણય લીધો છે. ભાઈએ પોતાને બચાવી લીધો, પણ શાહિદ કપૂર હવે ફસાઈ ગયો છે. તેણે પોતાના જ પગ પર કુહાડી મારી છે.’ મહત્ત્વનું છે કે, શાહિદ કપૂરે છેલ્લે વિશાલ ભારદ્વાજ સાથે ફિલ્મ ‘રંગૂન’માં કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ હતી.વર્ક ળન્ટની વાત કરીએ તો આ દિવસોમાં કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર ફ્લોર પર જશે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે, જેનું ડાયરેક્શન અનીસ બઝમીએ કર્યું છે. આ સિવાય કાર્તિક આર્યન પાસે ‘પતિ પત્ની ઔર વો ૨’ અને અનુરાગ બાસુની મ્યુઝિકલ લવ સ્ટોરી ફિલ્મ પણ છે.

 

Leave a Comment