RAJKOT,તા,02
ગુજરાતની પ્રથમ અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશિર્વાદરૂપ એઇમ્સના નામે તાજેતરમાં અમુક વિવાદો સામે આવ્યા બાદ એઇમ્સ હોસ્પિટલના ડાયરેકટર ડૉ. કટોચે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, એઇમ્સ હોસ્પિટલમાં 800 કર્મચારીઓ દિવસ – રાત કામ કરે છે છતાં વિદ્યાર્થીઓથી માંડી મેનેજમેન્ટ સુધી તમામ સુરક્ષિત છે જેથી એઇમ્સના નામે ખોટા હોબાળા મચી રહ્યા છે. એઈમ્સના ડાયરેક્ટર કર્નલ ડોક્ટર સી.ડી.એસ. કટોચ દ્વારા એઇમ્સની સારવારલક્ષી, વહીવટી કામગીરી અને એઇમ્સના નિર્માણને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. ૮૦૦ જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓ તથા છાત્રો એઇમ્સમાં સુરક્ષિત છે. સ્ટાફની કોઈપણ પ્રકારની ફરિયાદ માટે પ્રત્યક્ષ ઇન્ટર્નલ કમિટી તરફથી કે ડાયરેક્ટર તરફથી એક પણ ફરિયાદ પ્રાપ્ત થયેલી નથી. આ સિવાય એઈમ્સનું ૮૦ ટકા જેટલું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલું છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, નિર્ધારિત એજન્સી દ્વારા નિર્માણ કામગીરી પર ક્વોલિટી અંગે નિયમિત સમીક્ષા કરવામાં આવે છે.