Site icon Shri Nutan Saurashtra

Ayodhya માં પ્રસાદના રૂપે વહેંચવામાં આવતા ઈલાયચીના દાણાના નમૂના તપાસ માટે મોકલાયા

ઈલાયચીના દાણાના નમૂના તપાસ માટે ઝાંસીની એક સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા

Ayodhya , તા.૨૮

આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં હવે ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદના રૂપે વહેંચવામાં આવતા ઈલાયચીના દાણાના નમૂના તપાસ માટે ઝાંસીની એક સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.  આસિસ્ટન્ટ ફૂડ કમિશનર દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે, રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદના રૂપે વહેંચવામાં આવતા ઈલાયચીના દાણાના નમીના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જમા કરવામાં આવ્યા છે. આ નમૂનાને ઝાંસીની એક સરકારી પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જ્યાં તેનું પરીક્ષણ કરવામાં આવશે.

રામ મંદિર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ’દરરોજ પવિત્ર પ્રસાદના રૂપે અંદાજિત ૮૦ હજાર ઈલાયચીના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. આસિસ્ટન્ટ ફૂડ કમિશનર માણિક ચંદ સિંહે જણાવ્યું હતું કે, ૈંય્ઇજી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના પગલે, હૈદરગંજ વિસ્તારથી નમૂના ખરીદવામાં આવ્યા, જ્યાં ઈલાયચી દાણાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ નમૂનાને વ્યાપક પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઝાંસીની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુ ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. જોકે, પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તેને રાજકીય નિવેદન જણાવ્યું હતું. દેશના સૌથી અમીર મંદિરનું સંચાલન કરનાર બોર્ડે શુક્રવારે ખુલાસો કર્યો હતો કે, તિરૂપતિ મંદિરના પ્રસાદની ગુણવત્તાની તપાસ માટે મોકલેલા નમૂનામાં ખરાબ ગુણવત્તાવાળું ઘી અને પશુની ચરબીની ભેળસેળની જાણ થઈ છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ લાડુમાં પશુ ચરબીની મિલાવટનો દાવો કર્યો હતો. આ મુદ્દાને લઈને ભૂતપૂર્વ વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી જનગમોહન રેડ્ડીએ તેને ધ્યાન ભટકાવવાની રાજનીતિ જણાવ્યું હતું.

 

Exit mobile version