Site icon Shri Nutan Saurashtra

Rajkot: મોટામવા ગામે બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત

પુત્ર અને પત્ની  બહાર ગયા બાદ પગલું ભર્યું : પરિવાર શોકમાં ગરકાવ

Rajkot,તા.30
શહેરની ભાગોળે મોટા મૌવા ગામે રંગનગરમાં ભીમનગર ચોકમાં રહેતા વૃદ્ધએ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેમને 108 એમબ્યુલન્સના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરની ભાગોળે મોટા મૌવા ગામે રંગનગરમાં ભીમનગર ચોકમાં રહેતા જીવાભાઈ ગગજીભાઈ પરમાર (ઉં.વ.67) નામના વૃદ્ધએ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લેતા તેમને 108 એમબ્યુલન્સના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધએ માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ થતાં હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.મૃતક જીવાભાઇને સંતાનમાં એક પુત્ર છે.પુત્ર પત્ની સાથે બહાર ગયા બાદ ઘરે આવતા પિતાએ પગલું ભરી લીધાની જાણ થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે.બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Exit mobile version