યુ.પી.થી આવેલા ૨પ થી વધુ કારીગરો દિવસ-રાત કામે લાગી સૌથી ઉંચા પૂતળાઓનું નિર્માણકાર્ય કરી રહયાં છે
Rajkot,તા,03
વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શકિતનો નાશ અને દેવી શકિતનો વિજય વિશ્વ હિન્દુ પરીષદ-બજરંગળ-દુર્ગાવાહીની દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાક્ષસદહન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી તા.૧૨/૧૦ ને શનિવારના રોજ રેસકોર્ષ મેદાનમાં સાંજે ૭-૦૦ કલાકે રાક્ષસોના અલગ-અલગ ત્રણ પુતળાઓનું દહન કરાશે. ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રોને સજાવીને રાખવામાં આવશે. જ્યાં અપણી હિન્દુ સંસ્કૃતિમાં જેનુ ખૂબ મહત્વ રહેલુ છે. વિજયાદશમીના દિવસે રાક્ષસ દહન તથા શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ રહેલ છે. દર વર્ષે વિ.હિ.પ.-બજરંગદળ-દુર્ગાવાહીનીના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવે છે.
હાલમાં યુ.પી.થી. ખાસ આવેલ આ કામના અનુભવી અને એક્ષપર્ટ કારીગરો દ્વારા દશેરાના દિવસે જેનુ દહન થવાનુ છે તેવા ૩ પુતળાઓનું પ્રથમ ફ્રેમ સ્ટ્રકચર તૈયાર થઈ રહયું છે, ખૂબજ કુશળતા માંગી લેનાર આ કાર્ય માટે ૨૫ થી વધુ કારીગરોને ઘણા દિવસો અગાઉથી પૂર્વ તૈયારીઓ કરી રહયા છે અને વિ.હિ.પ. દ્વારા પણ વર્ષોથી આ કારીગરોની સેવા લેવામાં આવે છે. સ્ટ્રકચર બની ગયા બાદ તેને પૂર્ણ સ્વરૂપ આપવામાં આવશે. તુરંત સળગી ઉઠે તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે. જેમા ખાસ કરીને લાકડાના વાસ તથા કાપડ તથા રંગીન કાગળનો ઉપયોગ કરવામાં આવે છે અને હાથ બનાવટથી સમગ્ર સ્ટ્રકચર ઉભુ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો સહભાગી થાય તે માટે વિ.હિ.પ. દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.