Rajkot, તા. ૩૦
રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં અનધિકૃત બાંધકામ દૂર કરવા આજરોજ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦૦ ચો.મી. જગ્યા અંદાજિત રૂા. ૧.૨૫ કરોડની ખુલ્લી કરાવવામાં આવી છે.
જેમાં ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા. ૩૦મી સપ્ટે.ના રોજ વોર્ડ નં. ૧૩, ટી.પી. સ્કીમ-૩ (રાજકોટ)ના રેલવે પાટા પેરેલલ ૧૨.૦૦ મીટર પહોળા, અંદાજે ૧૫૦ રનીંગ મીટર લંબાઈમાં ૨૨-નાના મકાનો, ૨ નાના મંદિરો, ૨૦ ઈન્ડસ્ટ્રીયલ શેડ (પાર્ટલી), ૧-પાનમસાલા કેબીન, ૧ ઢોરવાડો વિગેરે દબાણગ્રસ્ત હોવાથી ડિમોલીશિન કરી ૨૫૦૦ ચો.મી. જગ્યા અંદાજિત રૂા .૧.૨૫ કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે.