Dahod બાળકી દુષ્કર્મ-હત્યા કેસ, આરોપી આચાર્ય સામે 1,700 પાનાની ચાર્જશીટ કરાઈ ફાઈલ

Dahod,તા,03

દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ-1ની માસુમ વિધાર્થીનીના હત્યારા 56 વર્ષના આચાર્ય ગોવિંદ નટ સામે સમગ્ર જિલ્લામાં ભારે ફિટકાર જોવા મળી રહ્યો છે. આ હત્યારા આચાર્યને ફાંસી સજા આપમાની માંગ કરાઈ રહી છે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘દાહોદ કોર્ટમાં 1700 પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.’

દાહોદમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી ઘટનાને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ મામલે 300 લોકોની ટીમે કામ કર્યું છે.  65 જેટલા અલગ અલગ રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે. આ ચાર્જશીટ 1700 પાનાની બનાવવામાં આવી છે.’

આ કેસની તપાસમાં એફએસએલની નવી ટેક્નોલોજીનો ઉપયોગ થયો

આ ચાર્જશીટમાં ડિજિટલ એવિડન્સ, ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ, ફોરેન્સિક બાયોલિકલ એનાલિસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમિયાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

Leave a Comment