Site icon Shri Nutan Saurashtra

kidney ની બીમારી વિશેની મૂંઝવણ દૂર કરો

Mumbai,તા.14

તાજેતરમાં જ અમે અમારી માતાજીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે. અમે જાણવા માગીએ છીએ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી કઈકઈ સાવચેતી રાખવી જોઈએ?

કિડની બીજી કોઈ વ્યક્તિની હોય છે, તેથી ત્યાં સુધી દવા લેવી જરૂરી છે જ્યાં સુધી શરીર આ નવી  કિડનીને સ્વીકારી ન લે. કિડની ટ્રાન્સપ્લાન્ટ પચી હેલ્ધિ જીવનશૈલી અપનાવો, જેથી જટિલતાની આશંકા નહીંવત્ થઈ જાય. પોષક આહારનું સેવન કરો. જો વજન વધારે હોય તો વજન ઘટાડો. ઇંફેક્શનથી બચવા માટે જરૂરી ઉપાય કરો. એવા સ્થળ, વ્યક્તિથી દૂર રહો, જેમની પાસેથી ઇંફેક્શન ફેલાવાનો ભય હોય. જો બીમાર હોય તો ડોક્ટરની સલાહ વિના દવા ન લો. જ્યારે પણ સારવાર માટે ડોક્ટર પાસે જાઓ ત્યારે તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે અવશ્ય જણાવો.

મારા પપ્પાની ઉંમર ૫૨ વર્ષ છે. ત્રણ વર્ષથી તેમનું ડાયાલિસિસ ચાલી રહ્યું છે. શું તેમના માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય રહેશે

કિડનીનું મુખ્ય કાર્ય નકામા પદાર્થને યુરિનમાં બદલીને શરીરની બહાર કાઢવાનું હોય છે. જ્યારે કિડની પોતાની ક્ષમતા ગુમાવી દે છે ત્યારે નકામા પદાર્થ શરીરમાં એકત્ર થવા લાગે છે, જે શરીર માટે જોખમી બની શકે છે. આ સ્થિતિમાં ડોક્ટર ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપે છે.

મહદ્ અંશે લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય છે. આ પ્રક્રિયામાં ઉંમર બાધારૂપ નથી બનતી. આ પ્રક્રિયા બધા માટે ઉપયુક્ત છે જેમને એનેસ્થેશિયા આપી શકાય તેમ હોય અને કોઈ એવી બીમારી ન હોય જે ઓપરેશન પછી વધી જાય તેવી હોય, જેમ કે કેન્સર વગેરે. દરેક એવી વ્યક્તિ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે, જેના શરીરમાં સર્જરીની અસરને સહન કરવાની ક્ષમતા હોય.

કિડની ટ્રાન્સપ્લાન્ટનો સફળતાનો ડર બીજા ટ્રાન્સપ્લાન્ટ સાથેની તુલનામાં સારી રહે છે. જેને ગંભીર હૃદયરોગ, કેન્સર અથવા એઈડ્સ હોય, તેમના માટે  ટ્રાન્સપ્લાન્ટ સલામત અને લાભદાયી નથી.* હું ૩૮ વર્ષનો વકીલ છું. મારા પરિવારમાં કિડની સંબંધિત બીમારીનો ઈતિહાસ રહ્યો છે. કૃપા કરીને જણાવો કે કઈ સાવચેતી રાખીને હું તેનાથી બચી શકું?

જીવનશૈલીમાં કેટલાક પરિવર્તન કરીને કિડનીના રોગના જોખમને ઘટાડી શકાય છે. સંતુલિત અને પોષક આહારનું સેવન કરો. આલ્કોહોલનું સેવન ન કરો. નિયમિત એક્સસાઈઝ કરો. એવી દવાઓ લેવાથી દૂર રહો જે કિડનીને નુકસાનકર્તા હોય. શારીરિક રૂપે સક્રિય રહો. લોહીમાંના સુગરના સ્તરને નિયંત્રિત રાખો. મીઠાનું સેવન ઓછું કરો. વજનને નિયંત્રણમાં રાખો તેમજ ધૂમ્રપાન પણ ન કરો.

કિડની રોગના મુખ્ય લક્ષણ ક્યા છે?

મોટાભાગના લોકોમાં કિડનીમાં રોગના લક્ષણ ત્યાં સુધી નથી દેખાતા જ્યાં સુધી તેમનો રોગ એડવાન્સ સ્ટેજ સુધી નથી પહોંચી જતો. જો કે કિડનીના રોગના સામાન્ય લક્ષણ નીચે પ્રમાણે હોઈ શકે છે – વધારે થાક અને ઓછી સ્ફૂર્તિનો અનુભવ થવો. ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થવી. ભૂખ ઓછી લાગવી. ઊંઘવામાં સમસ્યા થવી. માંસપેશીઓમાં ખેંચાણ અને સોજો આવી જવો. સ્કિન રૂક્ષ થઈ જવી અને ખૂજલી આવવી. રાત્રે વારંવાર પેશાબ લાગવો. છાતીમાં શ્વાસ ચઢવા. હાઈ બી. પી. જેને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ થઈ જાય.

મારી પત્નીના ગોલ બ્લેડરમાં પથરી થઈ ગઈ છે. ડોક્ટરે સર્જરી દ્વારા દૂર કરવાની સલાહ આપી છે. જાણવા ઇચ્છુ છું કે તેને દૂર કરવાથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યા તો નહીં થાય?

સર્જરીથી સ્ટોનની સાથે ગોલ બ્લેડરને પણ કાઢી નાખવામાં આવે છે કારણ કે જો તેમાં ફરીથી પથરી વિકસિત થઈ શકે છે.

એક વાર જ્યારે ગોલ બ્લેડર દૂર થઈ જાય છે ત્યારે પછી ગોલ બ્લેડરમાં સ્ટોર થવાને બદલે સીધી તમારા લિવરમાંથી વહીને નાના આંતરડામાં ચાલી જાય છે. તમારે જીવવા માટે ગોલ બ્લેડરની આવશ્યકતા નથી હોતી. ગોલ બ્લેડરને દૂર કરવાથી તમારી ભોજનને પચાવવાની શક્તિ પણ પ્રભાવિત નથી થતી, પરંતુ ગોલ બ્લેડર ન હોવાથી કોઈ નિશ્ચિત સ્વાસ્થ્ય સમસ્યા જેમ કે ફેટી લિવર, અપચો થવાનું જોખમ વધી જાય છે. ખૂબ જ જરૂરી એવા ફેટી એસિડ્સ અને ચરબીમાં ઓગળી જાય તેવા પોષક તત્ત્વોની અછત સર્જાઈ શકે છે.

ડાયગ્નોસિસમાં જાણ થઈ છે કે મારા પતિની કિડની ખૂબ જ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. હું જાણવા ઇચ્છુ છું કે કિડની ફેલ્યોર શું છે?

કિડની ફેલ્યોર ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિની કિડની તેના લોહીમાંથી અચાનક નકામા પદાર્થને ફિલ્ટર કરવા બંધ કરી દે છે. જ્યારે કિડની આ ફિલ્ટર કરવાની ક્ષમતા ગુમાવી દે છે ત્યારે શરીરમાંના નકામા પદાર્થ ખૂબ જ જોખમી સ્તર સુધી એકઠા થઈ જાય છે અને લોહીમાં રસાયણનું સંતુલન ખરાબ થઈ જાય છે.

પ્રત્યારોપિત કિડની કેટલા સમય સુધી કાર્ય કરે છે?

આ એ વાત પર આધાર રાખે છે કે કિડની ક્યા ડોનર પાસેથી લેવામાં આવી છે. કિડનીનું બ્લડ ગૂ્રપ અને ટિશ્યૂ કેટલા સારી રીતે મેચ થાય છે.

જે વ્યક્તિ પાસેથી કિડની પ્રાપ્ત થઈ હોય તેની ઉંમર કેટલી છે અને તેનું સ્વાસ્થ્ય કેવું છે તે વાત પણ મહત્ત્વની છે. ૮૦-૯૦ ટકા લોકોમાં એક વર્ષ સુધી, ૭૦-૮૦ ટકા લોકોમાં પ્રત્યારોપણના પાંચ વર્ષ પછી અને ૫૦ ટકા લોકોમાં ૧૦ વર્ષ સુધી કાર્ય કરે છે.

Exit mobile version