Site icon Shri Nutan Saurashtra

Chhattisgarh માં નવ નક્સલીઓ ઠાર, દંતેવાડા-બીજાપુર સરહદ પર પોલીસ સાથે અથડામણ

Chhattisgarh,તા,03

 છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ મુઠભેડમાં  9 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.

પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે નક્સલવાદીઓની PLGA કંપની નંબર 2 સાથે સૈનિકો વચ્ચે મુઠભેડ થઈ હતી. આ મુઠભેડમાં જવાનોએ અત્યાર સુધીમાં 9 નક્સલીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી નક્સલીઓના મૃતદેહની સાથે  SLR, 303 અને 12 બોરના હથિયારો પણ મળી આવ્યા છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે.

માઓવાદી ચળવળ અંગે મળી હતી માહિતી 

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવાર 3 સપ્ટેમ્બરના રોજ જ્યારે સુરક્ષા દળો પેટ્રોલિંગ પર નીકળી રહ્યા હતા ત્યારે તેમને પશ્ચિમ બસ્તર ડિવીઝનમાં માઓવાદીઓની હિલચાલ હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ મંગળવારે સવારે 10.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું.

આ પહેલા એન્કાઉન્ટરમાં 3 નક્સલવાદીઓને ઠાર કરાયા 

આ પહેલા 29 ઓગસ્ટે પણ ‘એન્ટી નક્સલ’ ઓપરેશન હેઠળ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે મુઠભેડ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા હતા.

‘એન્ટી નક્સલ’ ઓપરેશન સતત ચાલુ

ગત ઓગસ્ટમાં સુરક્ષા દળોએ નક્સલ વિરોધી ઓપરેશનમાં ઘણા નક્સલવાદીઓને પકડીને ઠાર કર્યા હતા. ઓગસ્ટની શરૂઆતમાં પણ દંતેવાડા પોલીસને મોટી સફળતા મળી હતી. એન્કાઉન્ટરમાં એક હાર્ડકોર નક્સલી માર્યો ગયો હતો. આ સાથે હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી.

Exit mobile version