Site icon Shri Nutan Saurashtra

‘વ્યાપારી જૂથ Ayodhya માં Manjhi caste ના ખેડૂતોની જમીન હડપ કરી રહ્યું છે’

સમાજવાદી પાર્ટી મીડિયા સેલના એક્સ હેન્ડલ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા હતા

Lucknow, તા.૧૬

સમાજવાદી પાર્ટી મીડિયા સેલના એક્સ હેન્ડલ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આ વીડિયો મારામારીનો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો અયોધ્યામાં વેપારી જૂથ અને ખેડૂતો વચ્ચેની લડાઈનો છે. જીઁએ કેપ્શનમાં લખ્યું કે, ‘અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશોને કારણે મોટા બિઝનેસ હાઉસ ગરીબ ખેડૂતોની જમીન પર કબજો કરી રહ્યાં છે.’ સમાજવાદી પાર્ટીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે એક વેપારી જૂથ અયોધ્યામાં સૌથી પછાત માંઝી જાતિની જમીન ‘કબજે’ કરી રહ્યું છે. એસપીનો આરોપ છે કે આ જૂથના ગુંડાઓ ખેડૂતો સાથે ગુંડાગીરી કરી રહ્યા છે. જોકે, બિઝનેસ ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક લોકો મારપીટ કરી રહ્યાં છે. એસપીએ દાવો કર્યો હતો કે આ જમીન કબજે કરવા માટે હતી. જો કે, સ્થાનિક પોલીસે કહ્યું કે તેઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને એસપીના આરોપોને ‘ખોટા’ ગણાવ્યા છે.સમાજવાદી પાર્ટી મીડિયા સેલના એક્સ હેન્ડલ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આ વીડિયો મારામારીનો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો અયોધ્યામાં વેપારી જૂથ અને ખેડૂતો વચ્ચેની લડાઈનો છે. સમાજવાદી પાર્ટીએ કેપ્શનમાં લખ્યું કે, ‘અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશોને કારણે મોટા બિઝનેસ હાઉસ ગરીબ ખેડૂતોની જમીન પર કબજો કરી રહ્યાં છે.’સાથે જ અખિલેશ યાદવે લખ્યું, ‘અયોધ્યામાં ખેડૂતોની ધરપકડ અને અબજોપતિઓને રાહત… શું યુપીમાં સરકાર હજુ પણ સત્તામાં છે કે નિવૃત્ત થઈ ગઈ છે?’ તે જ સમયે, સમાજવાદી પાર્ટીના મીડિયા સેલે વધુમાં આરોપ લગાવ્યો કે, ‘અયોધ્યામાં અભિનંદન લોઢા જૂથે માંઝી સમુદાયની જમીનો પર કબજો જમાવ્યો છે અને તેના ગુંડાઓ ખેડૂતોની હત્યા કરી રહ્યા છે અને લોઢાની માંગણી પર પોલીસ પ્રશાસન વેચાઈ ગયું છે અનૈતિક રીતે માર્યા ગયા છે.લોઢા વેન્ચર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક ખેડૂત દ્વારા તેમને જમીનનો પ્લોટ વેચવામાં આવ્યો હતો. અમે તેને પકડવા ગયા ત્યારે ગુંડાઓના ટોળાએ અમારા લોકો પર હુમલો કર્યો. અમે એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે ધરપકડ કરી છે.અયોધ્યા પોલીસે પણ સમાજવાદી પાર્ટી મીડિયા સેલની પોસ્ટનો જવાબ આપ્યો અને કહ્યું કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે વરિષ્ઠ પોલીસ અધિક્ષક (અયોધ્યા) રાજ કરણ નાયરનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં ઘટનાની વિગતો સમજાવવામાં આવી છે. ટ્‌વીટમાં લખેલ તથ્યો ખોટા છે.

Exit mobile version