Site icon Shri Nutan Saurashtra

ધડાધડ બ્રિજ ધસવાની ઘટના બાદ હવે મકાન પડ્યું, Bihar માં 4 લોકોનાં મોતથી હડકંપ

Bihar, તા.18

બિહારમાં ધડાધડ બ્રિજ ધસવાની ઘટના બાદ હવે એક મકાન ધરાશાયી થઈ ગયુ છે. પૂર્વ ચંપારણના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારના લહાન ઢાકામાં આજે એક ભીષણ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. એક નિર્માણાધીન મકાનનું શટર ખોલતી વખતે અચાનક ધસી પડેલા કાટમાળ નીચે આ તમામ લોકો દટાઈ ગયા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય મળી ન હતી અને ત્યાં તેમને મૃત જાહેર કરવાની માત્ર ઔપચારિકતા જ થઈ હતી. આ ઘટના અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવારના અભાવે લોકોમાં હોબાળો મચી ગયો છે.

રોષે ભરાયેલા લોકોએ ઢાકા-મોતિહારી રોડ જામ કર્યો

આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ઢાકા-મોતિહારી રોડ જામ કરી દીધો છે અને ખૂબ હંગામો મચાવ્યો છે. લોકોનું કહેવું છે કે, ઢાકા સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં એક પણ ડોક્ટર હાજર નથી. અમે ઘાયલ મજૂરોને લઈને હોસ્પિટલ પહોંચ્યા પરંતુ અહીં ડોક્ટર હાજર ન હોવાના કારણે તેમની સમયસર સારવાર ન થઈ શકી. આ કારણે મજૂરોના મોત થઈ ગયા. લોકોએ કહ્યું કહ્યું કે, બિહાર સરકાર આ મામલાને ગંભીરતાથી લે અને તાત્કાલિક તેનું સમાધાન કરે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને યોગ્ય સહાયતા આપવામાં આવે.

પૂરતી સંખ્યામાં પોલીસ દળ તહેનાત

બીજી તરફ ઘટનાની સૂચના મળતા જ ઢાકા પોલીસ BDO, SDO, SDPO અને પોલીસ સ્ટેશનના વડા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ તમામ અધિકારીઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું પરંતુ લોકોએ તેમની એક વાત ન સાંભળી. હાલમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. વરિષ્ઠ અધિકારીના આદેશ પર પૂરતી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરી દેવામાં આવ્યા છે.

 

Exit mobile version