Site icon Shri Nutan Saurashtra

Rajkot મા પ્રૌઢને મોતને ઘાટ ઉતારનાર બુટલેગર આણી ટોળકીની ધરપકડ

ભક્તિનગર પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી સહીત નવને ઉપાડી લીધા

Rajkot,તા.૧૩
શહેરમાં રવિવારે રાત્રીના પીડીએમ ફાટક પાસે માથાકુટમાં બે જુથ આમને સામને આવી ગયા હતા અને બુટલેગર ટોળકીએ પિતા-પુત્ર સહિત પાંચ પર છરી- પાઈપ અને તલવારથી હુમલોમાં ઘવાયેલા યુવકનું મોત નીપજ્યા ના બનાવમા ભક્તિનગર પોલીસે મામલામાં 9 વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઢેબર રોડ પરની ઢેબરકોલોનીમાં રહેતા સુરેશ દલાભાઈ સોલંકી, અર્જુન સુરેશભાઈ સોલંકી, પ્રકાશ સોલંકી અને વિકકી સુરેશ સોલંકી સહીત પાંચ વ્યકિતઓને ભીમા બાબુ સોલંકી, પ્રકાશ બાબુ સોલંકી, રાજુ બાબુ સોલંકી, શૈલેષ ભીમા, નિલેશ ભીમા, અરવિંદ જાદવ, અનિલ રણછોડ, ધના માવજીભાઈ, યોગેશ ભગવાનજીભાઈ સહીતના શખસો  બોલાચાલી થઈ હતી અને સામુ જોવાની બાાબતમા ફરીથી મામલો બીચકયો હતો. સુરેશ દલા સોલંકી અને ભીમા રાજુના જુથવચ્ચે સરાજાહેર પીડીએમ ફાટક પાસે મારામારી થઈ હતી.જેમાં ભીમા રાજુના જુથે સુરેશ સોલંકી સહીતના પર છરી-પાઈપ અને તલવારથી હુમલો કરી પથ્થરમારો કરતા રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ અને કેટલાંક વાહનોમાં તોડફોડ પણ થઈ હતી.આ બનાવના પગલે હોસ્પિટલ ખાતે ટોળા ઉમટી પડતા હતા.સારવાર દરમિયાન સુરેશ દુલા સોલંકી (ઉ.વ.45)નું તલવારના આડેધડ ઘાને લીધે મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવમાં ભક્તિનગર પોલીસે નવ શખ્સો વિરુદ્ધ હત્યા તેમજ વાહનમાં નુકસાની સહીતની કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી સહીત નવને ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
Exit mobile version