નૌશેરા બેઠક રાજ્યની જાણીતી બેઠકોમાંની એક છે અને ૨૦૧૪ની ચૂંટણીમાં આ બેઠક ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવી હતી
Jammu-Kashmir,તા.૮
જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષની લાંબી રાહ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ અસર મતદાન દરમિયાન પણ જોવા મળી હતી, સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં લગભગ ૬૪ ટકા મતદાન થયું હતું. લગભગ ૪ મહિના પહેલા એપ્રિલ-મેમાં લોકસભા ચૂંટણી દરમિયાન અહીં સંસદીય બેઠકો માટે મતદાન થયું હતું, ત્યારે પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જમ્મુ ડિવિઝનમાં આવેલું નૌશેરા બેઠક પર ભાજપના રવીન્દ્ર રૈનાની હાર થઈ છે. જ્યારે દ્ગઝ્રના સુરેન્દ્ર કુમાર ચૌધરીએ જીત મેળવી છે.
તાજેતરના સમયમાં કાશ્મીરની સરખામણીએ રાજૌરીમાં આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લાની નૌશેરા બેઠક રાજ્યની જાણીતી બેઠકોમાંની એક છે અને ૨૦૧૪ની ચૂંટણીમાં આ બેઠક ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવી હતી.
નૌશેરા વિધાનસભા બેઠક પર ૫ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈના પોતાનો પડકાર રજૂ કરી રહ્યા છે, જ્યારે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સે સુરિન્દર કુમાર ચૌધરીને, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ સુરિન્દર કુમાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પરથી હક નવાઝને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ચૂંટણી પહેલા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી ગઠબંધન થયું હતું. આ સીટ નેશનલ કોન્ફરન્સના હિસ્સામાં આવી છે અને ભાજપની સાથે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પણ પોતપોતાના સ્તરે ચૂંટણી લડી રહી છે.