જ્યાં બિલીપત્ર ચડાવવામાં આવતા નથી તે શિવજીનાં બાર જયોર્તિલિંગોનું ‘Bhimashankar’

 જ્યાં જ્યાં જ્યારે જ્યારે ભક્તો એ ભક્તિ પૂર્વક શંભુનું સ્મરણ કર્યું, ત્યાં ત્યાં ત્યારે ત્યારે અવતાર લઈ લે કાર્ય કરીને ત્યાં સ્થિત થઈ ગયા.

– મહાદેવ શંકરનાં બાર જ્યોતિલિંગમાં છઠ્ઠા નંબરનું ભીમાશંકર મહાદેવનું મંદિર છે. જે પૂનાથી ૧૨૮ કિલોમીટર દૂર સહયાદ્રિ પર્વતની હારમાળામાં ભીમા નદીનાં મૂળ પાસે બ્રહ્મપુરની પહાડી ઉપર ભીમાશંકર જ્યોતિલિંગ આવેલું છે. 

– ઓમકારેશ્વર સબંધી ઉપલિંગ કર્દમેશ્વરના નામે પ્રસિદ્ધ છે. તે બિન્દુ સરોવરના તટ ઉપર છે જે ઉપાસકોનાં સર્વમનો વાંછિત ફળ પ્રદાન કરે છે. કેદારેશ્વર સંબંધી ઉપલિંગ ભૂતેશ્વર નામથી પ્રસિદ્ધ છે. તે યમુના તટ પર સ્થિત છે. જેનાં દર્શન, પૂજનથી પાપોનું નિવારણ થઈજાય છે.

માત્ર શિવજી જ એવા ભગવાન  કે મહાદેવ છે કે જે મૂર્તિ સ્વરૂપ કરતાં લિંગસ્વરૂપે વધુ પૂજાય છે. શિવજીનાં બે સ્વરૂપો છે. એક સાકાર જે શિવજીની મૂર્તિમાં દેખાય છે અને બીજું તિરાકાર જે શિવમંદિરોમાં તેના પ્રતિક રૂપે શિવલિંગથી પૂજાય છે.

સર્વવ્યાપી ભગવાન શંકરનાં બાર જ્યોતિલિંગ સ્વરૂપ છે. આનું શ્રવણ-દર્શન અને પૂજા મંગલમય છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રી શૈલપર્વત ઉપર મલ્લિકાર્જુન ઉજૈનમાં મહાકાલ , મલેશ્વરમાં ઓંમકાર, હિમાલયમાં કેદારનાથ, ડાકીનીમાં ભીમાંશંકર કાશીમાં વિશ્વનાથ, દારૂકવન (દ્વારકા પાસે) નાગેશ્વર, સેતુબંધ પર રામેશ્વર, શિવાલયમાં ધુશ્મેશ્વર, ત્ર્યંબકેશ્વર ગૌતમેશ્વર (વૈયનાથ) આ શિવજીનાં સ્મરણ માત્રથી ભક્તિ-મુક્તિ પ્રાપ્ત થાય છે અને દરેક પાપોથી મુક્ત થઈ જાય છે. (શિવપુરાણ સત રૂદ્ર સંહિતા)

– ત્રણેય લોક સંપૂર્ણ શિવલિંગ રૂપે જ છે – આ જગત સંપૂર્ણ તીર્થ લિંગમયે છે. સર્વકાંઈ લિંગમાંજ પ્રતિષ્ઠિત છે. એ શિવલિંગની કોઈ ગણતા નથી. જગતમાં જે કંઈ દ્રશ્ય જોવાય છે અથવા જેનું વર્ણન અને સ્મરણ કર્યું જાય છે તે સર્વ ભગવાન શિવજીનું જ સ્વરૂપ છે, કોઈ પણ વસ્તુ શિવનાં સ્વરૂપથી ભિન્ન નથી. (શિવપૂરાણ કોટી રુદ્રસંહિતા)

જ્યાં જ્યાં જ્યારે જ્યારે ભક્તો એ ભક્તિ પૂર્વક શંભુનું સ્મરણ કર્યું, ત્યાં ત્યાં ત્યારે ત્યારે અવતાર લઈ લે કાર્ય કરીને ત્યાં સ્થિત થઈ ગયા. લોકોનો ઉપકાર કરવાને માટે એમણે સ્વયં પોતાના સ્વરૂપ ભૂત લિંગની કલ્પના કરી એ લિંગની પૂજા કરીને શિવભક્ત પુરુષ અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. ભૂમંડળમાં જે લિંગ છે. તેની ગણના થઈ શકે તેમ નથી. છતાંય આ બાર શિવલિંગો તેના મુખ્ય મુખ્ય જ્યોતિલિંગ છે.

– બાર જ્યોતિલિંગના ઉપલિંગો : સોમનાથનું જે ઉપલિંગ છે.

એનું નામ અનકેશ્વર છે તે મહીનદી અને સમુદ્રનાં સંગમ પર સ્થિત છે. મલ્લિકાર્જુનથી ઉત્પન્ન થયેલ ઉપલિંગ રુદ્રેશ્વરનામે પ્રસિદ્ધ છે. તે ભૃગુકક્ષમાં સ્થિત છે. ઉપાસકોને સુખ આપનાર છે. મહાકાલ સંબંધી ઉપલિંગ દુગ્ધેશ્વર અથવા દૂધનાથ નામે પ્રસિદ્ધ છે. તે નર્મદા તટ પર છે તે સમસ્ત પાપોનું નિવારણ કરનાર છે. ઓમકારેશ્વર સબંધી ઉપલિંગ કર્દમેશ્વરના નામે પ્રસિદ્ધ છે. તે બિન્દુ સરોવરના તટ ઉપર છે જે ઉપાસકોનાં સર્વમનો વાંછિત ફળ પ્રદાન કરે છે. કેદારેશ્વર સંબંધી ઉપલિંગ ભૂતેશ્વર નામથી પ્રસિદ્ધ છે. તે યમુના તટ પર સ્થિત છે. જેનાં દર્શન, પૂજનથી મોટા મોટા પાપોનું નિવારણ થઈ જાય છે. ભીમાશંકર સબંધી ઉપલિંગ ભીમેશ્વર નામે પ્રસિદ્ધ છે. તે પણ સહ્ય પર્વત પર જ સ્થિત છે. જે મહાન બળની વૃત્તિ કરનારૃં છે. નાગેશ્વર સબંધી ઉપલિંગનું નામ પણ ભૂલેશ્વર જ છે તે મલ્લિકા સરસ્વતી નાં તટ ઉપર આવેલું છે. એના દર્શન માત્રથી સર્વ પાપ હરી લે છે. રામેશ્વરથી પ્રગટ થયેલ ઉપલિંગ ગુપ્તેશ્વર છે અને ધુશ્મેશ્વરથી પ્રગટ થયેલ ઉપલિંગ વ્યાધ્રેશ્વર કહેવાય છે.

આ રીતે જ્યોતિલિંગોના ઉપલિંગોના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે અને મનો વાંછિત ફળ મળે છે. (શિવપુરાણ) ‘તત્કર્તુ : સર્વપાંપાનિ ભસ્મસાદ્યાન્તિ વૈક્ષણાત્ । ”૧/૨૮ ।

પાર્થિવ પૂજા : ધર્માત્મા રાજાઓને હરાવી રાક્ષસે એને કેદ કરી લીધા હતાં. એમના પગોમાં બેડી નાખીને એકાંત સ્થાનમાં ગોંધી રાખ્યા. ત્યાં એમણે ભગવાનની પ્રીતિ માટે શિવની ઉત્તમ પાર્થિવ મૂર્તિ બનાવીને તેની સ્તુતિ તથા ભજન-પૂજન કર્યા. અને વારંવાર ગંગાજીની સ્તુતિ કરી અને માનસિક સ્નાન વગેરે કરી પાર્થિવ પૂજનની વિધિથી શંકરની પૂજા સંપન્ન કરી. વિધિપૂર્વક ભગવાન શિવનું ધ્યાન કરીને પંચાક્ષ મંત્ર (ઁ નમ:શિવાય) નો જાપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. ત્યારથી પાર્થિવ પૂજાનું મહત્વ છે.

– કાશીની પંચકોશી યાત્રા : શિવજી તેજનાં સાર ભૂત પાંચ કોસ લાંબા-પહોળા શુભ અને સુંદર નગર નિર્માણ કર્યું. એ એમનું પોતાનું જ સ્વરૂપ નિજ સ્વરૂપ છે. બધા જ ઉપકરણોથી યુક્ત શ્રી વિષ્ણુએ ત્યાં શિવજીનું ધ્યાન ધર્યું હતું. જે સ્થાન જોઈને વિષ્ણુએ મસ્તક હલાવ્યું અને તે સમયે તેના કાનમાંથી એક મણિ પડી ગયો તેથી તે સ્થાનને કાશિમાં ‘મણિકર્ણિકા’ નામનાં મહાન તીર્થ તરીકે ઓળખાય છે. કર્મોનું કર્ષણ ત્યાં થતુ હોવાથી તે પુરીને કાશી કહે છે. ત્યાં અવિમુક્ત પણે શિવલિંગ સદા બિરાજમાન રહે છે. ઓ મહાપાતકી (અવિમુક્તેશ્વરલિંગ) તે સદાય મુક્તિ આપનારું છે. આથી કાશીનું મરણ શાસ્ત્રોમાં પ્રશંસનીય ગણેલ છે. કેવળ કાશીમાં જ જીવોને સાયુજ્ય નામની સર્વોત્તમ મુક્તિ સુલભ થાય છે. જેમની ક્યાંય ગતિ થતી નથી. એમને માટે વારણશી- કાશીપુરી જ ગતિ છે. મહાપુણ્યમયી આ પંચકોશી કરોડો હત્યાઓનો વિનાશ કરનારી છે. અહીં સમસ્ત અમર ગણ પણ મરણની ઇચ્છા કરે છે. આમ કાશી શંકરની પ્રિયનગરી છે. તે સદા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. (શિવપૂરાણ)

– જયા બિલીપત્ર ચડાવવામાં આવતા નથી તે ભીમાશંકર :

મહાદેવ શંકરનાં બાર જ્યોતિલિંગમાં છઠ્ઠા નંબરનું ભીમાશંકર મહાદેવનું મંદિર છે. જે પૂનાથી ૧૨૮ કિલોમીટર દૂર સહયાદ્રિ પર્વતની હારમાળામાં ભીમા નદીનાં મૂળ પાસે બ્રહ્મપુરની પહાડી ઉપર ભીમાશંકર જ્યોતિલિંગ આવેલું છે. બાર જ્યોતિલિંગમાનાં સ્તોત્રમાં ‘ડાકિન્યાં ભીમશંકરમ્’ કહેવાયુ છે. આનું શિવલિંગ પણ મોટું હોવાથી તેને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે.

જેનાં દર્શનથી મહાપાપોનો નાશ થાય છે. આની કથા પણ શિવપુરાણમાં કોટિરૂદ્ર સંહિતામાં જોવા મળે છે.

– કથા (ભીમાશંકર) : પુનાથી ૧૨૮ કિલોમીટર દૂર સહયાદ્રિ પર્વતની હારમાળામાં ગુવાહાટી નજીક ભીમા નદીનાં મૂળ પાસે બ્રહ્મપુરની પહાડી ઉપર ભીમાશંકર જ્યોતિલિંગ આવેલું છે. બાર જ્યોતિલિંગમાં ૬ઠ્ઠું જ્યોતિર્લિગ ભીમાશંકર છે.

તેના સંદર્ભમાં એક કથા છે. હજારો વર્ષ અગાઉ સહયાદ્રી પર્વતની આજુબાજુ કામરૂપ પ્રદેશ પર કર્કટી નામની સુંદર રાક્ષસીનું વર્ચસ્વ હતું. તેને ભીમનામનો એક પુત્ર હતો. તે કર્કટીનો વિરાટ નામનો પતિ ભગવાન રામના હાથે માર્યો ગયો હતો. કર્કટીનાં પિતા તર્કટે સુતીક્ષણ સામે યુદ્ધ કર્યું હતું. અને તેમાં તે માર્યો ગયો હતો. કર્કટીની માતા પણ હણાઈ ગઈ હતી. કર્કટીએ તેના સમર્થ પિતા અને પતિ બન્ને ગુમાવ્યા હતા. અને તે પોતે પ્રભાવશાળી હતી. તે પોતે પોતાનો વારસો જાળવે તેવો વીર પુત્ર ઇચ્છતી હતી. આવા પુત્રનાં પ્રદાન માટે તેણે રાવણનો ભાઈ કુંભકર્ણ સાથે લગ્ન કરી કુંભકર્ણના સંસર્ગથી તે ગર્ભવતી થઇ.

પરંતુ તેના સંતાનનો જન્મ થાય તે પહેલા કુંભકર્ણ-રામ-રાવણનાં યુદ્ધમાં ભાઈની મદદ માટે લંકા ગયો. અને ત્યાં શ્રીરામના હાથે તેનો વધ થયો. કર્કટી નિરાધાર થઈ હઈ. તેણે પુત્રનો જન્મ આપ્યો અને તેનું નામ ભીમ રાખ્યું. કકટીએ તેના પુત્ર ભીમને તેના વડીલોનાં થયેલા સંહાર તથા પિતા તથા માતા મહનાં પરાક્રમ વિષે વાત કરી અને તેનાં કાનમાં ઝેર રેડી તેનો બદલો લેવા માટે તેને ઉશ્કેરતી હતી.

મોટો થઈને તે ભીમ, ભીમાસુર નામનો રાક્ષસ બન્યો. અને તેની માતાને થયેલા અન્યાય અને અપમાન બદલ તેણે સંહાર આદર્યો, કઠણ તપસ્યા કરી તેણે બ્રહ્માજી પાસે લોકવિજયનું વરદાન માંગ્યું હતું. તે ધાર્મિક કાર્યોમાં અડચણો ઉભી કરતો હતો. કામરૂપ નરેશ સુદક્ષિણને તેણે બંદીવાન બનાવ્યા હતા. અને તેની આ પ્રહારની શક્તિનાં અત્યાચારને રોકવા ‘શિવશક્તિ’ પ્રગટ થઈને ‘ભીમાસુર’નો વધ કર્યો. અને અપવિત્ર બનેલા ક્ષેત્રને પુણ્ય ક્ષેત્ર બનાવ્યું. આ શિવત્વ એટલે ભીમાશંકર કહેવાયું અને ત્યાંથી નિકળેલું પાણી તે ભીમાનદી તરીકે પ્રસિદ્ધ થઇ.

બિલીપત્ર અહીં ચડાવાતા નથી – આ વિસ્તાર-પહાડી વિસ્તારમાં વૃક્ષો ઉગતા નથી. બિલ્વિનાં ઝાડ પણ ઉગતા નથી. તેથી તે મળવા દુર્લભ હોઈ આ ભીમાશંકર ઉપર બિલીપત્રને ચડાવવામાં આવતા નથી.

‘બિલીપત્રનાં મૂળમાં બ્રહ્મા-મધ્યમાં વિષ્ણુ તથા એના આગળનાં (અગ્રભાગમાં) શિવરૂપ હોય છે. તેથી શિવજીને બિલ્વપત્ર ચઢાવવાનું ખાસ મહત્વ છે. (શંકરાચાર્ય- ચિત્તષ્ટક) (બિલ્વાષ્ટકી)

 

Leave a Comment