Madhya Pradesh માં મોટી દુર્ઘટના: બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત

 Madhya Pradesh,તા.20

મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા

અહેવાલો અનુસાર, આ અકસ્માત NH 39 પર કદારી નજીક સવારે લગભગ 5 વાગ્યે થયો હતો. શ્રદ્ધાળુઓ છતરપુર રેલવે સ્ટેશનથી ઓટો રિક્ષામાં બેસીને બાગેશ્વર ધામ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા.

અકસ્માતનો ભોગ બનેલા પરિવારની ઓળખ કરવામાં આવી છે જે લખનઉનો છે. આ પરિવાર તેમની એક વર્ષની દીકરીનું મુંડન કરાવવા માટે બાગેશ્વર ધામ જઈ રહ્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા અન્ય પાંચ લોકોની ઓળખ થઈ નથી.હાલ  આ અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment