Site icon Shri Nutan Saurashtra

રામનું પાત્ર નિભાવી રહેલા કલાકારનું મંચ પર heart attack થી મોત નિપજ્યું

ડાયલોગ બોલતા બોલતા ત્યાં જ ઢળી પડ્યા હતા

New Delhi, તા.૬

દિલ્હીના શાહદરા વિસ્તારમાં થઈ રહેલી રામલીલાના મંચન દરમ્યાન એક ચોંકાવનારી ઘટના થઈ હતી. અહીં ઝિલમિલ રામલીલા કમિટીના સભ્ય અને છેલ્લા ૩૫ વર્ષથી ભગવાન રામનું પાત્ર નિભાવી રહેલા સુશીલ કૌશિકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું.

આ ઘટના ત્યારે થઈ, જ્યારે રામલીલામાં સીતા સ્વયંવરનો દ્રશ્ય ચાલી રહ્યું હતું. ભગવાન રામનું પાત્ર નિભાવી રહેલા સુશીલ કૌશિક પોતાનો ડાયલોગ બોલતા બોલતા પાછળ જતાં રહ્યા અને ત્યાં જ ઢળી પડ્યા હતા.

આ ઘટના દરમ્યાન સુશીલ કૌશિક રામના પાત્રમાં હતા. મંચ પર સીતા સ્વયંવર ચાલી રહ્યો હતો. સુશીલ કૌશિક ૧૬ વર્ષથી ઉંમરથી રામલીલામાં રામનું પાત્ર ભજવતા હતા. ઘટનાની રાતે તેઓ મંચ પર હાજર હતા.

લક્ષ્મણનો સંવાદ ખતમ થતાં જ રામ ધનુષ તોડવા માટે ઊભા થયા, ત્યારે તેમણે ગીતની શરુઆત કરી હતી, પણ અચાનક તેમને છાતીમાં દુખાવો થયો. તેમણે તરત પોતાનો હાથ છાતી પર રાખ્યો અને મંચની પાછળ જતાં રહ્યા. ત્યાંથી અચાનક પડી ગયા. રામલીલા કમિટીના સભ્ય તરત તેમને હોસ્પિટલમાં લઈ ગયા. પણ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

સુશીલ કૌશિક રામલીલા મંચનના અનુભવી કલાકાર હતા. ૧૬ વર્ષની ઉંમરથી તેમને ભગવાન રામનું પાત્ર નિભાવાનું શરુ કર્યું હતું. તેઓ છેલ્લા ૩૫ વર્ષથી સતત આ ભૂમિકા નિભાવી રહ્યા હતા. તેમની ઓળખાણ એક સમર્પિત કલાકાર તરીકે થતી હતી. હાર્ટ એટેકના કારણે તેમનું મોત થતાં રામલીલા ટીમ શોકમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના બાદ રામલીલા કમિટીએ નિર્ણય લીધો કે આ વર્ષે રામલીલા સ્થગિત કરી સુશીલ કૌશિકને શ્રદ્ધાંજલિ આપવામાં

 

Exit mobile version