Site icon Shri Nutan Saurashtra

Rajkot: ખુલ્લી ભૂગર્ભ ગટરને કારણે વધુ એક નાગરિકે જીવ ગુમાવ્યો

Rajkot, તા.૧૩

રાજકોટમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા ગટરના ખુલ્લા ઢાંકણા અંગે સતત ફરિયાદ કરવામાં આવતી હતી. પરંતુ નિંભર બની ગયેલા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી અને એ જ નઘરોળ, આળસુ અધિકારીઓની ઘોર બેદરકારીના પાપે રાજકોટના એક વનરાજસિંહ ચાવડા નામના વ્યક્તિનું મોત થયુ છે. ૩ સપ્ટેમ્બરના રોજ વનરાજસિંહ જાડેજા તેમની પ્રેસની નાઈટ ડ્યુટી પતાવી ઘરે જઈ રહ્યા હતા એ સમયે ગાંધીગ્રામ વિસ્તારમાં ખુલ્લી ગટર સાથે તેમનુ બાઈક અથડાયુ અને તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા. આ દરમિયાન તેમને પાંસળીના ભાગે બાઈકનું હેન્ડલ વાગ્યુ હતુ,  તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  ૈંઝ્રેં માં સારવાર લેવી પડે એટલી ગંભીર હદે વનરાજસિંહ ઈજાગ્રસ્ત થયા હતા અને એક સપ્તાહની સારવાર બાદ પણ તેઓ બચી ન શક્યા અને તેમનુ સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યુ છે. વનરાજ સિંહના આ મોત બાદ ફરી એકવાર તંત્રની નઘરોળ કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

વરસાદી પાણીના નિકાલ માટે જે ગટરનુ ઢાંકણ ખોલવામાં આવ્યુ તેને વરસાદ રહી બાદ બંધ કરવાની કોઈ જ કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવી અને તેના પાપે એક પરિવારે તેનો મોભી ગુમાવ્યો છે. ત્યાર સૌથી મોટો સવાલ છે કે પરિવારની માથે આટલી મોટી આફત તૂટી પડી તેની ભરપાઈ કોણ કરશે. મૃતકના ડેથ સર્ટીફિકેટમાં અકસ્માતે મોત લખી કુદરતી મૃત્યુમાં ખપાવી દેવાયુ છે પરંતુ આ મોત નહીં ખુલ્લેઆમ થયેલી હત્યા ગણી શકાય. મૃતકના પરિજનોએ પણ જવાબદારો સામે પગલા લેવાની માગ કરી છે. અને આવી બેદરકારી અન્ય કોઈનો ભોગ ન લે તે માટે પણ તંત્ર સતર્ક બને તેવી ટકોર કરવામાં આવી છે. હાલ એક વ્યક્તિના મોત બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને કાર્યવાહી કરવાના દાવા કરી રહ્યુ છે. શહેરમાં ગટરના ઢાંકણા જેટલી જગ્યાએ તૂટ્યા હશે ત્યાં નવા ઢાંકણા નાંખવામાં આવશે. ત્રણેય ઝોનના સીટી ઇજનેરને બોલાવી શહેરમાં તાત્કાલિક અસરથી ડ્રેનેજને લગતી ફરીયાદો ઉકેલવા સૂચના આપવામાં આવશે. એમ દર વખતની જેમ મનપાએ થશે થશે નો રાગ આલાપવાનું શરૂ કરી નાખ્યું છે.હાલ તો પોતાની બેદરકારી પર ઢાંક પીછોડો કરવા ઢાંકણાંનું સમારકામ કરવામાં આવ્યું છે. પણ પ્રશ્ન એ છે કે એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો અને ત્યારબાદ છેક તંત્રએ તુટેલા ગટરના ઢાંકણાની નોંધ લીધી.

Exit mobile version