રાહુલ આનંદે જીવનભર ધર્મનિરપેક્ષ રહેવાનો માર્ગ અપનાવ્યો હતો : પોતાના દેશના મુસ્લિમોને પ્રેમ કરતા હતા
Dhaka, તા.૭
બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ શરૂ થયેલો વિરોધ હવે હિંદુ વિરોધી હિંસામાં ફેરવાઈ ગયો છે. વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં ગઈ કાલે ઈસ્લામિક કટ્ટરપંથીઓનું ટોળું પ્રખ્યાત બાંગ્લાદેશી ગાયક રાહુલ આનંદના ઘરમાં ઘૂસી ગયું હતું. અહીં તેઓએ પહેલા ઘરમાં લૂંટ ચલાવી અને પછી આગ લગાવી દીધી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટોળું ઘરમાં ઘૂસ્યું તે પહેલા રાહુલ તેની પત્ની અને પુત્ર ઘરમાં હાજર નહોતા, પરંતુ તેની સાથે બનેલી ઘટનાને કારણે તેની માનસીક સ્થિતી ખરાબ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા અનુસાર, રાહુલ આનંદે જીવનભર ધર્મનિરપેક્ષ રહેવાનો માર્ગ અપનાવ્યો હતો. પોતાના દેશના મુસ્લિમોને પ્રેમ કરતા હતા. પણ બદલામાં તેમને શું મળ્યું?
રાહુલ આનંદનું ઘર ધાનમંડી ૩૨માં આવેલું હતું. ઇસ્લામિક ટોળાએ તેમના ૧૪૦ વર્ષ જૂના આવાસને લૂંટી લીધા બાદ સળગાવી દીધું હતું. આ લૂંટફાટ અને આગચંપીમાં, તેના ૩૦૦૦ સંગીતનાં સાધનો પણ નાશ પામ્યા હતા, જેમાંથી ઘણા તેણે પોતાના હાથે બનાવ્યા હતા. રાહુલ આનંદ બૈંટ જોલેર ગાયન જાણતા હતા જે ગાયનનો એક પ્રકાર છે. આ બેન્ડ સાથે સંકળાયેલા એક જૂના સહયોગી સૈફુલ જર્નાલે મીડિયાને જણાવ્યું હતું કે, “અમારા પ્રિય રાહુલ દાના ૩૦૦૦ થી વધુ સંગીતનાં સાધનો, જે તેમણે વર્ષોથી પ્રેમ અને કાળજીથી ડિઝાઇન કર્યાં હતાં અને બનાવ્યાં હતાં, તે નાશ પામ્યાં છે અને સાધનો બળી ગયાં છે. અન્ય ઘરવપરાશની વસ્તુઓની અંદાજિત કિંમત ૧૦ લાખ રૂપિયાથી વધુ છે.
આ ઘટના બાદ લોકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશ માટે આ એક મોટું નુકસાન છે.આ બિલકુલ ખોટું છે. તે માત્ર ઘર ન હતું પણ સર્જનાત્મક કેન્દ્ર હતું. ગાયકે પોતે ત્યાં પોતાના હાથે તે સંગીતનાં સાધનો બનાવ્યાં હતાં. ટોળાએ સંગીત સાધનોને બાળી નાખ્યા હતા.
જણાવી દઈએ કે, બાંગ્લાદેશના ઈસ્લામિક કટ્ટરપંથીઓ જેના ઘરને સળગાવીને ખૂબ ગર્વ લઈ રહ્યા છે તે રાહુલ આનંદનું ઘર લાંબા સમયથી વિદેશોમાં બાંગ્લાદેશનું ગૌરવ વધારતું હતું. ગયા વર્ષે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અહીં આવ્યા હતા. આ સમાચાર દરેક મીડિયા હાઉસમાં પણ ચાલ્યા. આજે સાંપ્રદાયિકતાની આગમાં કટ્ટરવાદીઓએ તેને હિન્દુનું ઘર સમજીને સળગાવી દીધું કારણ કે શેખ હસીનાના રાજીનામા પછી તેમની નજર માત્ર હિન્દુઓના ઘર, ઘર અને દુકાનો લૂંટવા પર છે.
હિંદુસ્તાનના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશની સ્થિતિ પર તાજેતરમાં બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ એ કહ્યું કે ઘણા ઘરો, દુકાનો અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. બીએચબીસીયુસીનો દાવો છે કે લગભગ ૨૦૦-૩૦૦ હિન્દુ ઘરો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. જનરલ સેક્રેટરી રાણા દાસગુપ્તાએ રોઇટર્સને જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં લગભગ ૧૫-૨૦ હિંદુ મંદિરોને નુકસાન થયું છે અને સમુદાયના લગભગ ૪૦ લોકો ઘાયલ થયા છે.