Site icon Shri Nutan Saurashtra

Raksha Bandhan ના પર્વ દરમ્યાન ૬૫૦૦ બસોની એકસ્ટ્રા ટ્રીપ દોડાવાશે

રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને લઇ આયોજન

Ahmedabad, તા૧૪

અમદાવાદમાં રક્ષાબંધનના પર્વને લઈને આગવું આયોજન છે. જેમાં રક્ષાબંધનના પર્વ દરમ્યાન ૬૫૦૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાશે. ૧૭ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસોના સંચાલન માટે નિર્ણય લેવાયો છે. તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડીવિઝનમાંથી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે.

રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને પહોંચી વળવા એસ.ટી નિગમનું આયોજન છે. સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે, મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે. તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે.

વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ ૧૯થી ૨૯ આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક ૫૦થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે. દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો. દિવાળીના સમયમાં પણ એસટી વિભાગ દ્રારા વિશેષ બસો દોડાવવામાં આવે છે. એક થી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે તે માટે આ બસો દોડાવવામાં આવે છે. વધારાની બસો દોડાવવાથી એસટી વિભાગને સારી આવક થાય છે,સાથે સાથે મુસાફરોને પણ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો નથી.

Exit mobile version