Site icon Shri Nutan Saurashtra

Rajya Sabha માં આરોપોથી દુઃખી સભાપતિ ધનખડ ખુરશી છોડી નીકળી ગયા, વિપક્ષનું પણ વૉકઆઉટ

New Delhi, તા.08

વિનેશ ફોગાટના ઓલિમ્પિકમાંથી બહાર થવા મુદ્દે આજે રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો. ખરેખર વિપક્ષના નેતા ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે મંજૂરી ન આપી. જ્યારે TMCના સાંસદ ડેરેક ઓ બ્રાયને પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અધ્યક્ષે ચેતવણી આપી. અધ્યક્ષે ડેરેકને ચેતવણી આપી હતી કે જો તે આ જ કૃત્યનું પુનરાવર્તન કરશે તો તેમને રાજ્યસભામાંથી બહાર તગેડી મૂકાશે. ત્યારબાદ વિપક્ષમાં સામેલ કોંગ્રેસ-ટીએમસી અને અન્યો પક્ષોના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

ધનખડે વ્યથા ઠાલવી 

ત્યારબાદ અધ્યક્ષ ધનખરે ગુસ્સે થઈને કહ્યું કે, ‘કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા પણ આ ગૃહના સભ્ય છે, જે હું હાલના સમયમાં જોઈ રહ્યો છું અને જે રીતે શબ્દો દ્વારા, પત્રો દ્વારા, અખબારો દ્વારા પડકાર આપવામાં આવી રહ્યો છે. મેં જોયું છે કે કેટલી બધી ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી છે. આ ચેલેન્જ મને નથી આપવામાં આવી રહી, આ ચેલેન્જ ચેરમેન પદ માટે આપવામાં આવી રહી છે. આ ચેલેન્જ એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે આ લોકોને લાગે છે કે આ પદ સંભાળનાર વ્યક્તિ તેના માટે લાયક નથી.

બસ આટલું કહી ખુરશી પરથી ઊભા થઈ જતા રહ્યા… 

ધનખડે વધુમાં કહ્યું કે, ‘મને સદનમાંથી જોઈએ તેટલું સમર્થન મળ્યું નથી. મેં મારા પ્રયત્નો ઓછા કર્યા નથી. હવે મારી પાસે એક જ વિકલ્પ છે કે હું મારા શપથથી ભાગતો નથી. મેં આજે જે જોયું છે, સભ્ય જે રીતે વર્ત્યા છે, શારીરિક રીતે કર્યું છે. હું મારી જાતને અહીં થોડા સમય માટે બેસવા સક્ષમ માનતો નથી. બસ આટલું કહી તેઓ ખુરશી પરથી ઊભા થઈ જતા રહ્યા હતા.

Exit mobile version