Site icon Shri Nutan Saurashtra

Corona ના બાદ વધુ એક ખતરનાક વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો

મારબર્ગમાં પ્રયોગશાળાના કાર્યકર દ્વારા કરવામાં આવી હતી તે ઇબોલા વાયરસ જેવા જ પરિવારનો છે આ એક વાયરલ હેમરેજિક તાવ છે

New Delhi,તા.૮

કોરોના બાદ વધુ એક ખતરનાક વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસનું નામ મારબર્ગ વાયરસ છે. આ ખતરનાક વાયરસે રવાંડામાં અત્યાર સુધીમાં ૧૨ થી વધુ લોકોના જીવ લીધા છે, તેથી લોકોની ચિંતા વધી ગઈ છે.

મારબર્ગ વાયરસની ઓળખ સૌપ્રથમ ૧૯૬૭માં જર્મનીના મારબર્ગમાં પ્રયોગશાળાના કાર્યકર દ્વારા કરવામાં આવી હતી. તે ઇબોલા વાયરસ જેવા જ પરિવારનો છે. આ એક વાયરલ હેમરેજિક તાવ છે, જે જીવલેણ રક્તસ્રાવ અને અંગ નિષ્ફળતાનું કારણ બને છે. આવી સ્થિતિમાં તેને મારબર્ગ વાયરસ નામ આપવામાં આવ્યું હતું. અત્યંત ચેપી અને ઘણીવાર જીવલેણ હેમરેજિક તાવ કે જે વાયરસનું કારણ બને છે તે વર્તમાન આરોગ્ય માટે જોખમી છે, અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો સમયસર તેને રોકવામાં ન આવે તો, વાયરસ અન્ય રોગચાળા તરફ દોરી શકે છે.ડોક્ટરોના મતે મારબર્ગ વાયરસ કોવિડ કરતા પણ વધુ ખતરનાક છે. કોવિડમાં મૃત્યુ દર લગભગ ૨ ટકા હતો, પરંતુ આ વાયરસમાં મૃત્યુ દર ૭૦ થી ૯૦ ટકા છે. મારબર્ગ વાયરસ મુખ્યત્વે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે, તે ‘ઝૂનોટિક’ છે. આ એક ચેપી રોગ છે. આ ચેપ ચામાચીડિયાથી માણસોમાં ફેલાય છે. પછી તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ વાયરસ ઇબોલા પરિવારનો હોવાનું માનવામાં આવે છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, ઉલટી, લાળ અને શારીરિક પ્રવાહીના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે. જો કે, આ વાયરસ હવામાં ફેલાતો નથી.

ચાલુ સપ્તાહની શરૂઆતમાં એક નિવેદમાં રવાંડાના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું, મારબર્ગ વાયરસ સામે રસીની શોધ કરીશું. અત્યાર સુધીમાં ૧૨થી વધુ લોકોના મોત થયા છે.

મારબર્ગ વાયરસની સંરચના બિલકુલ ઈબોલા અને કોવિડ-૧૯ વાયરસ જેવી છે છે. આ વાયરસ મુખ્ય રીતે સંક્રમિત શારીરિક તરલ પદાર્થ જેવાકે—લોહી, લાળ અને ઉલટીથી સીધો સંપર્કમાં આવે છે. તે સંક્રમિત વ્યક્તિઓના સાધી સંપર્કથી પણ ફેલાય શકે છે. ઉપરાંત સંક્રમિત વ્યક્તિ ઉપયોગમાં લીધેલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો પણ ફેલાય શકે છે. આ વાયરસ વિશ્વનો સૌથી ખતરનાક વાયરસ માનવામાં આવે છે.

મારબર્ગ વાયરસના લક્ષણ

અસહ્ય તાવ

માથાનો ભચંકર દુખાવો

માંસપેશીઓમાં દર્દ

ઝાડા-ઉલટી

છાતીમાં દર્દ

ખાંસી

ગળું ખરાબ થવું

પેટમાં દર્દ

કમળો

જેમ જેમ બીમારી ગંભીર થાય છે તેમ નાક, મોં, આંખ અને જનનાંગો સહિત શરીરના વિવિધ છિદ્રોમાંથી રક્તસ્ત્રાવ થવા લાગે છે. આ રક્તસ્ત્રાવ ગંભીર અને જીવન માટે ખતરો બની શકે છે.

 

Exit mobile version