Rajkot, તા.૩૦
રાજકોટ મનપાના આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વિ. જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તા. ૨૩ થી ૨૯-૯-૨૪ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલન્ટીયર્સ સહિતની ૩૬૦ ટીમો દ્વારા ૮૧,૭૯૦ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડ વર્કરો દ્વારા ૬૧૭૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરાયેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૩૧૬ પ્રીમાઈસીસ તેમજ મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં ૪૦૧ અને કોમર્શિયલ ૧૧૭ આસામીને નોટિસ આપવામાં આવેલ તથા રૂા. ૬૬,૫૫૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.