Site icon Shri Nutan Saurashtra

Rajkot ના રૈયાધારમાં 1 વર્ષના બાળાનું ઝાડા ઉલ્ટીથી મોત

 ચાર માસથી બાળકી બિમાર હતી : માસુમનાં મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ,તા.૨૭
ઋતુજન્ય રોગોએ માથુ ઉચકયું છે ત્યારે ચાંદીપુરાએ રાજ્યભરમાં ભરડો લીધો છે.ચાંદીપૂરાના કહેરની સાથે ડેન્ગ્યુ,મેલેરિયા જેવા રોગોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ગત 24 કલાકમાં શહેરમાં બે બાળકોના તાવ, ડેન્ગ્યુ અને મેલેરિયાનો ભોગ બન્યા છે.શહેરના રૈયાધારમાં એક વર્ષિય બાળકીનું ઝાડા ઉલ્ટીથી મોત થતાં શોકનું મોજું ફરી વળ્યુ છે. બાળકી ચારેક મહિનાથી બિમાર હતી.
બનાવની વિગત મુજબ રૈયાધારમાં રહેતાં ચમનભાઈ ડઢાણીયા ની એક વર્ષની બાળકી કુસુમનું બીમારી સબબ મોત નિપજતાં ગમગીની છવાઇ ગઈ છે. બાળકી છેલ્લાં ચારેક માસથી બિમાર હતી અને થોડા દિવસથી ઝાડા ઉલ્ટી થયા ગયા હતા. જેની સારવાર શરૂ હતી. ગઈ કાલે સારવારમાં દમ તોડી દિધો હતો. તેઓ મૂળ મહેસાણાના વતની છે. માસૂમના મોતથી શોકનું મોજુ ફરી વળ્યુ છે.
Exit mobile version