Firozabad માં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં ધડાકો,૫ના મૃત્યુ

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી

Uttar Pradesh,તા.૧૭

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું. અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી.

વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ, ફાયર બ્રિગેડ અને જીડ્ઢઇહ્લની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  ફાયર બ્રિગેડ ઓફિસરના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલા મકાનોના કાટમાળ નીચે દટાયેલા ૧૨ લોકોને બચાવી લેવાયા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.

ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે અનેક ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના રાત્રે લગભગ ૧૦ વાગે બની હતી. ગોદામમાંથી વિસ્ફોટનો અવાજ વચ્ચે-વચ્ચે આવી રહ્યો હતો. લોકોએ જાતે જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અનેક ઘરોના ફાનસ તૂટી ગયા છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મોડી રાત સુધી પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડીઓ કાટમાળ હટાવવા અને લોકોને સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસનું કહેવું છે કે આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી.

આ ઘટના અંગે આગ્રા રેન્જના આઈજી દીપક કુમારે જણાવ્યું કે શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા અને ત્યાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે નજીકના મકાનની છત તૂટી પડી હતી. પોલીસે કાટમાળમાંથી ૧૦ લોકોને બહાર કાઢ્યા છે.  તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં ૬ લોકોની સારવાર ચાલી રહી છે. ત્યાં ચાર લોકોના મોત થયા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. ફિરોઝાબાદના ડીએમ રમેશ રંજને જણાવ્યું કે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે હાજર છે. જિલ્લા હોસ્પિટલ અને ઉપ-જિલ્લા હોસ્પિટલ બંને હાઈ એલર્ટ પર છે. તબીબોની ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર ટીમ, તમામ સ્થળ પર હાજર છે.

આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં પંકજ (૨૪), મીરા દેવી (૫૨), સંજના, દીપક અને રાકેશ અને અન્ય એક ઘાયલ થયા હતા. મીરા દેવી, પંકજ અને અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.  કાટમાળ હટાવવા માટે જેસીબી મશીનો તૈનાત કરાયા હતા

Leave a Comment