Rahul Gandhi: ‘ભારતમાં દેવતાનો અર્થ એવો છે કે જેની આંતરિક લાગણી તેમના બાહ્ય વ્યક્તિત્વ જેવી જ છે

dallas-texas,તા.09

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. તેઓ ટેક્સાસના ડલાસમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. રવિવારે ડલાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં રાહુલ ગાંધીએ ભારતમાં બેરોજગારીની સમસ્યા શા માટે છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય તેણે જણાવ્યું કે તેના માટે ભગવાનનો અર્થ શું છે.

રાહુલ ગાંધીના મતે ભગવાનની વ્યાખ્યા શું છે?

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘ભારતમાં દેવતાનો અર્થ એવો છે કે જેની આંતરિક લાગણી તેમના બાહ્ય વ્યક્તિત્વ જેવી જ છે. એનો મતલબ એવો છે કે તે સંપૂર્ણ પારદર્શક છે, તેનો અર્થ ભગવાન નથી. જો કોઈ વ્યક્તિ જેવું વિચારે છે અને જેવી માને છે એવું જ મને કહે છે અને મન ખોલીને વ્યક્ત કરે છે તો એ જ ભગવાનની વ્યાખ્યા છે.’

રાહુલે રાજકારણ વિષે પોતાના વિચારો રજૂ કર્યા 

વિપક્ષ નેતાનું કહેવું છે કે, ‘અમારી રાજનીતિની રસપ્રદ વાત એ છે કે તમે તમારા વિચારોને કેવી રીતે દબાવો છો? તમે તમારા ડર, લોભ અથવા મહત્વાકાંક્ષાઓને કેવી રીતે દબાવી શકો છો અને અન્ય લોકોના ડર અને મહત્વાકાંક્ષાઓનું અવલોકન કરો છો…’ રાહુલે ભગવાન રામથી લઈને ભગવાન શિવ સુધી દરેકનો ઉલ્લેખ કર્યો અને ભારતીય રાજકારણ વિષે તેમના વિચારો રજૂ કર્યા હતા.

Leave a Comment