Rajkot: સરધાર પાઉંભાજીના ધંધાર્થીની દુકાન-મકાન પડાવી લેતા બે વ્યાજખોર

 ડિપોઝીટ પેટે આપેલ રૂ. 3.50 લાખ પરત નહિ આપી સામે પાંચ લાખની ઉઘરાણી કરી

Rajkot,તા.૧૯
શહેર પોલીસે વ્યાજખોરો આંતક વિરુદ્ધ લોક દરબાર યોજ્યા બાદ એક પછી એક વ્યાજખોરની પઠાણી ઉઘરાણી અને ત્રાસના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સરધાર રહેતાં અને મૂળ ઉત્તરપ્રદેશના વતનીએ બે વ્યાજખોર વિવેકસિંહ સિંઘવ અને નિલેશ કાશીપરા પાસેથી લીધેલ રૂપીયા વ્યાજ સહિત ચૂકવી દિધા છતાં નિલેશ કાશીપરાએ દુકાન અને વિવેકસિંહ સિંઘવે તેમના ઘર પર કબ્જો કરી ધમકી આપતાં આજીડેમ પોલીસ મથકમાં મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
સરધાર ગામે રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની ઉમેશ ઇન્દલસિંગ કુશવાહ (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિવેકસિંહ સિંઘવ (રહે. ભૂપગઢ,રાજકોટ) અને નિલેશ કાશીપરા (રહે.સરધાર) નું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, હાલ તે સરધારથી છેલ્લા સાતેક મહીનાથી પરીવાર સાથે નિકળી ગયેલ અને અલગ અલગ જગ્યાએ સગા-વ્હાલાને ત્યા રહે છે. તેમના પિતા સરધાર ગામમા છેલ્લા 40 વર્ષથી રહેવા આવેલ અને  ગામમાં મધુરમ નામે પાઉભાજીનો ધંધો કરતા હતા.  પિતાની ઉંમર થઈ જતા ધંધો તે ચલાવતાં હતાં. વર્ષ 2007 માં નિલેશ કાશીપરાની બસસ્ટેન્ડ નજીક આવેલ દુકાન ભાડે રાખી હતી. એક દુકાનનુ ત્રણ હજાર એમ બે દુકાનનુ છ હજાર ભાડુ શરૂઆતમાં આપતો હતો. ડીપોજીટ પેટે રૂ.15 હજાર જમા કરાવેલ હતાં.
પાંચ વર્ષ પહેલા કાશીપરા નામે તેણે કોમ્પલેક્ષ બનાવેલ હતો ત્યારે એક દુકાનની ડીપોઝીટ રૂ.3.50  લાખ રાખેલ હતી. જેથી તેમને એક જ દુકાન રાખેલ અને દુકાનની ડીપોઝીટ રૂ.3.50 લાખ ભરેલ હતી. બાદ વધારે દુકાનની જરૂરીયાત પડતાં વધારાની એક દુકાન ગયાં વર્ષે ભાડે રાખેલ અને તેની પણ રૂ.3.50 લાખ ડીપોઝીટ ભરેલ હતી. એક દુકાનનુ ભાડુ પાંચ હજાર હતુ. દુકાનની ડીપોજીટ તેમણે લઈ લીધી પરંતુ બીજી દુકાન તેમણે મને ભાડે ન આપી અને તે દુકાનમા તેમણે જ પાઉંભાજીનો ધંધો બાજુમા શરૂ કરી દીધેલ હતો.
તેમજ આરોપી નિલેશે વર્ષ 2020 માં તેમની બહેનના લગ્ન હતા. ત્યારે રૂ. 5 લાખ વ્યાજે આપેલ હતા. જેનુ મહીને 35 હજાર વ્યાજ આપતો હતો. છેલ્લે તેઓ વ્યાજ વટાવના ચક્રમા ફસાઇ જતા નિલેશભાઇ તથા અન્ય પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી વર્ષ 2023 માં ગામ મુકી પરીવાર સાથે જતો રહેલ હતો. નિલેશ પાસે  ડીપોજીટના સાત લાખ રૂપિયા જમા હતા. તેને  ડીપોઝીટના રૂ.3.50 લાખ પરત આપવાનું કહેતા તેઓએ તેમના પાંચ લાખ પરત આપવાનું કહીં તેમની દુકાન ખાલી કરવાની ધમકી આપતા હતા.
ડીપોઝીટના પૈસા પરત માંગતા તે વ્યાજે લીધેલ પાંચ લાખ પરત આપવાનુ કહેતા તે આપી શકુ તેમ ન હતો. જેથી સરધાર ગામના વિવેકસિંહ સિંધવ પાસેથી 2021 માં રૂ.1 લાખ વ્યાજ લીધેલ હતાં. જેનુ દર મહીનાનુ પાંચ હજાર વ્યાજ ભરતો હતો. તેમને 11/2023 સુધી વ્યાજ ભરેલ બાદ વર્ષ 2023 માં રૂ.70 હજાર લીધેલ જેનું રોજનું 700 રૂપીયા વ્યાજ ભરતો હતો. સરધાર ગયેલ નથી અને નિલેશ કાશિપરાએ તેમની દુકાનમાં પડેલ આશરે બે લાખનો સામાન લઈ લીધો અને પાઉભાજીનો ધંધો શરૂ કરી દીધેલ છે. બાદમાં તેઓએ શહેરમાં યોજાયેલ વ્યાજખોરી વિરૂદ્ધના લોકદરબાર અરજી કરેલ હતી અને બાદમાં ફરીયાદ નોંધાવી હતી.

Leave a Comment