Banas Dairy ની ૫૬ મી સાધારણ સભામાં ભાવ વધારો જાહેર

Deodar, તા.૧૭

બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવ વધારાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં બનાસ ડેરીની ૫૬મી સાધારણ સભા મળી હતી. જે સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુ પાલકો માટે ભાવફેર વધારો જાહેર કરાયો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે ૧૮.૫૨% ભાવફેર વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે ૪ લાખથી વધુ પશું પાલકોને આ ભાવફેર વધારો મળશે. દિયોદરના સણાદર પ્લાન્ટ ખાતે બનાસ ડેરીની ૫૬મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મળેલી  સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શકંર ચૌધરીએ પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે.

આયોજિત સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુંપાલકો માટે ૧૮.૫૨% ભાવફેર વધારાની જાહેરાત કરતાં ૧૯૭૩ કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરાયો છે. જેથી હવે ૪ લાખથી વધુ પશું પાલકોને આ ભાવફેર વધારો મળશે. આ સાધારણ સભામાં બનાસ ડેરીના ડિરેક્ટરો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુંપાલકો હાજર રહ્યા હતા.

 

Leave a Comment