Vadodara માં Chandipura virus થી વધુ છ બાળકો પોઝિટિવ, અત્યાર સુધી કુલ 18 બાળકના મોત

Vadodara, તા.01

વડોદરા જિલ્લામાંથી ચાંદીપુરા વાઇરસ ધરાવતા વધુ છ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સાથે વધુ બે શંકાસ્પદ બાળદર્દી સહિત કુલ 8 બાળદર્દી હાલ સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં છે. જે પૈકીના ચાર બાળકોની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં છે જ્યારે અન્ય ચાર બાળકની વોર્ડમાં સારવાર થઈ રહી છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કુલ 32 બાળ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જે પૈકી 18 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઉપરાંત 6 બાળદર્દીને રજા આપવામાં આવી છે.

બાળકો કુપોષિત હોય તો તેની રોગ પ્રતિકારક પ્રમાણમાં ઓછી હોય છે. વાહકજન્ય ચાંદીપુરામાં મચ્છર કરડવાથી તાવ આવે છે. અને બાળકોને સંપૂર્ણ કપડા પહેરાવવામાં આવે છે તેવી જ રીતે ચાંદીપુરાથી બાળકોને બચાવવા માટે દુષિત પાણી ક્યાંય સંગ્રહ થયેલું ન હોય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. વરસાદી સિઝનમાં મોટાભાગે જણાવતા આ રોગથી બાળકોને બચાવવા રહેઠાણની આસપાસ અન્ય જગ્યાએ ટાયરોમાં જમા થઈ રહેતા પાણીનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ. ઉપરાંત પર્યાવરણ બાબતે પણ ખાસ કાળજી લેવી જોઈએ તેવી સલાહ સયાજી હોસ્પિટલના ડોક્ટરે આપી છે.

Leave a Comment