ઘરમાંથી પાણી ઉલેચતી વેળાએ પગ લપસી જતાં ઘવાતા સારવારમાં દમ તોડયો
Junagadh,24
જૂનાગઢમાં વરસાદી પાણીનો નિકાલ કરવા જતા આધેડ ઘરમાં લપસી જતા ઇજા થવાથી સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા તુફાનીભાઈ રામા સહાની (ઉ.વ.51) નામના આધેડ ત્રણેક દિવસ પહેલા રાત્રે ઘરે હતા ત્યારે પાણીમાં પગ આવી જતા લપસી પડ્યા હતા જેના કારણે માથા અને શરીરના ભાગે ઇજા થવાથી પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જૂનાગઢ પોલીસને જાણ કરી જરૂરી કાગળો કર્યા હતા.
મૃત્યુ પામનાર તુફાનીભાઈ મૂળ યુપીના રહેવાસી હતા અને કલરકામ કરી ગુજરાન ચલાવતા હતા, પરિવારજનોના કહેવા મુજબ ઘરમાં વરસાદી પાણી પડતું હોવાથી પાણી ડોલમાં ભરી નિકાલ કરવા જતા હતા ત્યારે ઘરમાં જ લપસી જતા બનાવ બન્યો હતો.