Mumbai,તા,10
સપ્ટેમ્બર મહિનામાં નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓના પ્રીમિયમમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૬.૫૩ ટકાનો ઘટાડો થયો છે. સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓની નબળી કામગીરી, વાહનોના ઓછા વેચાણને કારણે મોટર ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ઘટાડો અને પાક વીમા સેગમેન્ટના નબળા પ્રદર્શનને કારણે આવું સ્થિતિ ઉદભવી છે.
જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં નોન-લાઈફ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઘટીને રૂ. ૨૭,૫૫૧ કરોડ થઈ ગયું છે, જે વાર્ષિક ધોરણે ૬.૫૩ ટકા ઓછું છે. આમાં સામાન્ય વીમા કંપનીઓ, એકલ આરોગ્ય વીમા કંપનીઓ, વિશિષ્ટ પીએસયુ વીમા કંપનીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ડેટા સૂચવે છે કે સામાન્ય વીમા કંપનીઓએ સપ્ટેમ્બરમાં રૂ. ૨૨,૯૮૫.૪૦ કરોડનું પ્રીમિયમ એકત્રિત કર્યું છે, જે વાર્ષિક ધોરણે ૩ ટકા ઘટયું છે. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સનું પ્રીમિયમ વાર્ષિક ધોરણે ૯ ટકા વધ્યું છે, જ્યારે સરકારી માલિકીની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ વાર્ષિક ધોરણે ૧૮ ટકા ઘટયું છે.નેશનલ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ૩૨ ટકા ઘટયું છે અને ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ યથાવત રહ્યું છે. મુખ્ય ખાનગી જીવન વીમા કંપનીઓમાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે વાર્ષિક ધોરણે ૩.૬ ટકા વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે બજાજ એલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ વાર્ષિક ધોરણે લગભગ ૮ ટકા ઘટયું છે. એચડીએફસી એગ્રોનું પ્રીમિયમ વાર્ષિક ધોરણે ૫.૪૧ ટકા ઘટયું છે. સામાન્ય વીમાથી વિપરીત, સિંગલ હેલ્થ ઈન્સ્યોરન્સ માટેના પ્રિમિયમમાં સપ્ટેમ્બરમાં ૨૬ ટકાનો તીવ્ર વધારો જોવા મળ્યો છે.