Rajkot: નવરાત્રીના પાવન પર્વમાં શકીરા અને દારૂના ગીતો પર રાસોત્સવ

Rajkot, તા.૬

ગુજરાતીઓની આગવી ઓળખ એટલે ગરબા. જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે લોકો મા અંબાની આરાધના કરવા માટે મન મૂકીને ગરબા રમતા હોય છે. પરંતુ રાજકોટમાંથી ગરબાનું સાવ અલગ જ ચિત્ર સામે આવ્યું છે. નવરાત્રીમાં ગરબા રમવાની જગ્યાએ હોલીવુડ અને બોલીવુડના સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા છે. માતાજીની આરાધના કરવાની જગ્યાએ ૩૧ ડિસેમ્બરની પાર્ટી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના વીડિયો વાઇરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

રાજકોટમાં મા આદ્યશક્તિની આરાધનાના પર્વમાં વિદેશી પોપ સોંગ પર ગરબા રમાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. નીલ સિટીમાં નવરાત્રિના તહેવારોમાં ગરબાને બદલે વિદેશી પોપ સિંગરના તાલે ઠુમકા મરાયા છે. માતાજીના ગરબાને સ્થાને શકીરાના સોંગ પર ઠુમકા લગાવતા હોય તેવા દૃશ્યો કેમેરામાં કેદ થયા છે.

નીલ સિટીમાં માત્ર શકીરા જ નહીં પરંતુ હિન્દી સોંગ ‘‘જમાલકુડુ’’ જેવા દારૂના ગીતો પર રાસોત્સવ યોજાયો હતો. આયોજકો જાણે ભાન ભૂલ્યા હોય તેમ બેફામ થઇને આ સોંગ વગાડવામા આવી રહ્યા હતા. વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે, ન ફક્ત ગીતો પરંતુ શકીરાના ગીતોના વીડિયો, હિન્દી ફિલ્મના દારૂના ગીતોના વીડિયો પર ખેલૈયાઓને રમવા મજબૂર કરાયા હતા. જોકે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતની ગરીમા સમાન ગરબા અને મા આદ્યશક્તિની આરાધનાના પર્વમાં આવા કૃત્ય કેમ કરવામાં આવી રહ્યું છે?

આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સાધુ-સંતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. નવરાત્રિના પવિત્ર પર્વને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વાળતા હોવાની કહેવામાં આવી રહ્યું છે.   જણાવી દઈએ કે, નીલ સિટી ક્લબએ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના માલિકીની છે.

 

Leave a Comment