Saurashtra Bhar ના પશુધન નિરીક્ષકોને ચિંતન શિબિર કાગવડ ખોડલધામ ખાતે યોજાઇ

વિવિધ મુદ્દાઓના માધ્યમને લઈ આ ચિંતન શિબિર યોજવામાં આવી હતી.
Rajkot,તા.૬
ખોડલધામ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની તમામ જિલ્લાઓ અને તાલુકાના પશુધન નિરક્ષકોની ગુજરાત વેટરનરી લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એસોસિયેશન બેનર હેઠળ વિવિધ મુદ્દાઓ અને પડતર માગણીઓ વિવિધ કાયદાકીય અને વહીવટી, તાંત્રિક અને પશુ કલ્યાણ ની બાબતો તેમજ પશુધન નિરીક્ષકો ને પડતી મુશ્કેલીઓ આ ચિંતન શિબિર માં મૂકવામાં આવ્યા હતા ને આગામી સમયમાં તેમની રણનીતિ નક્કી કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ગુજરાત વેટરનરી લાઈવસ્ટોક ઇન્સ્પેકટર એસોસિએશન આયોજિત ચિંતન શિબિર સૌરાષ્ટ્ર ઝોનનું ખોડલધામ કાગવડ ખાતે  આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત વેટરનરી લાઈવસ્ટોક ઇન્સ્પેકટર એસોસિએશન એસોસિએશન ના મહામંત્રી દ્વારા જણાવવામાં આવેલ કે પશુધન નિરિક્ષક કેડર ને લગતા વિવિધ કાયદાકીય અને વહીવટી ગૂંચવાડા તેમજ શિક્ષણ અને તાલીમ સ્નાતક કક્ષા કરવા માટે ઉપરાંત સરકાર શ્રી કક્ષાએ પડતર વિવિધ પ્રશ્નો જેવા કે NPPA નો ઠરાવ, તા.27/12/2019 ના રોજના પ્રતીક ધારણાની એક દિવસની સી.એલ રજા હજી સુધી મંજૂર કરવામાં નથી આવી તે બાબતે, પગાર સુધારણા બાબતે, બઢતી બાબતે તેમજ કાયદાકીય જોગવાઇઓના અમલીકરણના લીધે કામગીરીમાં ઉપસ્થિત થયેલ મુશ્કેલીઓના નિવારણ બાબતે અને આ રીતે આવતા સમયમાં ક્રમશઃ અન્ય ઝોનમાં પણ ચિંતન શિબિર નું આયોજન કરી અહેવાલ તૈયાર કરી સરકાર કક્ષાએ રજૂઆત કરવા બાબતે તેમજ હાલ સરકાર ના માનનીય પશુપાલન મંત્રી દ્વારા હકારાત્મક વલણ દાખવેલ હતું ત્યારે સરકાર કક્ષાએ પણ આ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ વિવિધ રજૂઆતો જે હાલ પડતર છે તે પરત્વે હકારાત્મક વલણ દાખવી સત્વરે નિકાલ કરવામાં આવશે જેમાં NPPA નો ઠરાવ, C.L. મંજૂર કરવા બાબત તથા ડિપ્લોમા સમકક્ષ પગાર ધોરણ મળવા બાબતે તેમજ હાલ કાયદાકીય અને વહીવટી ગૂંચવણો ના કારણે કામગીરીમાં પડી રહેલ મુશ્કેલીઓ અને અધિકારીઓ દ્વારા થતી કનડગત અને એના લીધે કર્મચારી ની કાર્યક્ષમતા ઉપર પડતી નકારાત્મક અસરનું સ્નાતક કક્ષા સુધી ઈન સર્વિસ તાલીમ આપીને તેમજ પશુધન નિરીક્ષક કોર્ષ ને સ્નાતક કક્ષા કરીને સત્વરે નિરાકરણ સરકાર શ્રી કક્ષાએથી કરવામાં આવે એવી આજની ચિંતન શિબિર માં ઉપસ્થિત તમામ પશુધન નિરિક્ષક સંવર્ગના કર્મચારીઓ ની લાગણી અને માંગણી કરવામાં આવી હતી કેમ કે આઝાદી પહેલાની આ કેડર ને આઝાદી બાદ આજદિન સુધી સંવૈધાનિક પ્રગતિ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવેલ છે અને સ્વતંત્ર રીતે કામગીરી કરવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવેલ છે આ ચિંતન શિબિરમાં પ્રમુખ એન.કે.બ્રહ્મભટ્ટ, મહામંત્રી શ્રી રીંકલ પટેલ, સલાહકાર એમ.જે.પુરોહિત, સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ કે.આઇ. પટેલ સહિત વિવિધ જિલ્લાઓના કારોબારી સદસ્ય ,તેમજ  મોટી સંખ્યામાં પશુધન નિરિક્ષકો ઉપસ્થિત રહી તમામ બાબતો અંગે ચિંતન કરવામાં આવ્યું અને આગામી રણનીતિઓ તૈયાર કરવામાં આવનાર હોવાનુ કહેવામાં આવ્યું હતું.

Leave a Comment