Rajkot જેલમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતાં ચાર કેદીને મુક્તિ

સારી વર્તણુકના આધારે રાજ્ય સરકારે બીએનએસએસની કલમ 475 હેઠળ સજા માફી ફરમાવી
Rajkot,તા,03
ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાઈ જેલના સળિયા પાછળ ધકેલાયેલા લોકોને સમાજમાં પુનઃસ્થાપિત થવા રેમિશન પોલિસી હેઠળ સારી વર્તણુકના આધારે સજા માફી આપવામાં આવતી હોય છે ત્યારે રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં વર્ષોથી આજીવન કેદની સજા ભોગવતાં ચાર બંદીવાનોને જેલમુક્તિ આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા ધીરુભાઈ નનકાભાઈ ધાખડા, સઇદ આદમભાઈ વરામ, જયેન્દ્રસિંહ નારૂભા ઝાલા અને હિતેષભાઇ મનસુખભાઈ જાદવને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 473,475 હેઠળ રાજ્ય સરકારને આપવામાં આવેલી સત્તાના આધારે સજામાફી આપવામાં આવી છે. ચારેય બંદીવાનોને તેમની સારી ચાલચલંગત, વર્તણુકના આધારે મુક્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધીરુભાઈ 17 વર્ષ, સઇદ વરામ 18 વર્ષ, જયેન્દ્રસિંહ 18 વર્ષ અને હિતેષભાઇ 19 વર્ષથી જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા હતા.

Leave a Comment