Rajkotની ગુંદાવાડી હોસ્પિટલમાં બેડ નહિ મળતા સગર્ભાની જાહેરમાં પ્રસુતિ

પ્રસુતિની પીડા ભોગવતી મહિલાને બેડ આપવાની જગ્યાએ પ્રથમ કેસ કઢાવવાનું કહ્યું : પતિનો આક્ષેપ

Rajkot,તા.૦૧
શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવી છે. પરપ્રાંતિય સગર્ભાને પ્રસુતિ અર્થે હોસ્પિટલ ખાતે એમ્બયુલન્સ મારફત લઇ આવ્યા બાદ વોર્ડમાં દાખલ કરવાની જગ્યાએ સગર્ભાના પતિને પ્રથમ કેસ કઢાવવાનું કહેતા પતિ કેસ કઢાવવા દોડી ગયો હતો. દરમિયાન મહિલાની પ્રસુતિ જાહેરમાં જ થઇ જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર પદ્મકુંવરબા હોસ્પિટલમાં પરપ્રાંતિય સગર્ભાને એમ્બયુલન્સ મારફત પ્રસુતિ અર્થે લઇ આવવામાં આવી હતી. જ્યાં સગર્ભાની પ્રસુતિનો સમય આવી ગયો હોય મહિલાના પતિએ તાતકાલિક દાખલ કરવા જણાવ્યું હતું. પરંતુ હોસ્પિટલના કર્મચારીએ પ્રથમ કેસ કઢાવો ત્યારબાદ જ બેડ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. કર્મચારીની વાત સાંભળી સગર્ભાના પતિ વિકાસભાઈ કેસ કઢાવવા દોડી ગયાં હતા. દરમિયાન હોસ્પિટલની બહાર બેડ મળવાની આશાએ બેઠેલી સગર્ભાની જાહેરમાં જ પ્રસુતિ થઇ ગઈ હતી.
મામલામાં સગર્ભા મહિલાના પતિએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી પત્નીની સ્થિતિ ગંભીર હોવા છતાં વોર્ડમાં બેડ આપવાની જગ્યાએ મને પહેલા કેસ કઢાવવાનું જણાવવામાં આવ્યું હતું. હું કેસ કઢાવવા ગયો એટલી વારમાં મારી પત્નીની પ્રસુતિ થઇ ગઈ હતી. અબતક મીડિયાની ટીમે મામલામાં હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરતા કોઈ જ જવાબ મળ્યો ન હતો.

Leave a Comment