Rajkot Municipal Corporation તંત્ર દ્વારા રોગચાળા અટકાયતી માટે થયેલ કાર્યવાહી

Rajkot, તા.૩૦

રાજકોટ મનપાના આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વિ. જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તા. ૨૩ થી ૨૯-૯-૨૪ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલન્ટીયર્સ સહિતની ૩૬૦ ટીમો દ્વારા ૮૧,૭૯૦ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડ વર્કરો દ્વારા ૬૧૭૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરાયેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૩૧૬ પ્રીમાઈસીસ તેમજ મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં ૪૦૧ અને કોમર્શિયલ ૧૧૭ આસામીને નોટિસ આપવામાં આવેલ તથા રૂા. ૬૬,૫૫૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

Leave a Comment