તિરુપતિ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, સુબ્રમણ્યમ સ્વામીએ તપાસની માંગણી ઉઠાવી

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો.

New Delhi,તા.૨૩

વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના મામલે હવે સુપ્રીમ કોર્ટમાંં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ પીઆઈએલ દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા ભેળસેળના આરોપોની તપાસની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એનડીએ વિધાનસભ્ય દળની બેઠક દરમિયાન તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. જો કે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તેને રાજકીય ભાષણબાજી ગણાવી છે.

દેશના સૌથી ધનાઢ્ય મંદિરનું સંચાલન કરતા બોર્ડે ખુલાસો કર્યો હતો કે તેને ગુણવત્તા પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓમાં હલકી ગુણવત્તાની ઘી અને પશુ ચરબીની ભેળસેળ મળી છે. લાડુમાં પશુઓની ચરબીની ભેળસેળનો દાવો કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ કર્યું હતું. આ મુદ્દા પર અગાઉની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી સરકારને દોષી ઠેરવ્યા પછી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાય એસ જગનમોહન રેડ્ડીએ તેને “વિક્ષેપની રાજનીતિ” અને “બનાવટી વાર્તા” ગણાવી હતી.

સમગ્ર વિવાદ બાદ કેન્દ્ર સરકારે આ મામલે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે આરોપોની તપાસ કરવામાં આવશે. શુક્રવારે લેબોરેટરીના રિપોર્ટને ટાંકીને ટીટીડીએ કહ્યું કે ઘીમાં ’ચરબી’ અને અન્ય અશુદ્ધિઓ મળી આવી હતી. ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર જે. શ્યામલા રાવે જણાવ્યું હતું કે લેબોરેટરી ટેસ્ટમાં સેમ્પલમાં પ્રાણીની ચરબી અને ટેલો મળી આવ્યા છે અને બોર્ડ આ ’ભેળસેળયુક્ત’ ઘી સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરને “બ્લેકલિસ્ટ” કરવાની પ્રક્રિયામાં છે.

 

Leave a Comment