જાણીતા business family માં વિવાદ, અબજોના સામ્રાજ્યનો વારસદાર કોણ?

Mumbai,તા.20

અબજો ડોલરનું સામ્રાજ્ય ધરાવતા ઓબેરોય પરિવારમાં સંપત્તિ મુદ્દે વિવાદ સર્જાયો છે. ઓબેરોય પરિવારની બે બહેનો વચ્ચે ચાલી રહેલી આ લડાઈ કોર્ટમાં પહોંચી છે. નવેમ્બર, 2023માં પૃથ્વી રાજસિંહ ઓબેરોયનું મૃત્યુ થતાં ઓબેરોય હોટલ સામ્રાજ્યના હિસ્સા માટે બંને બહેનો લડી રહી છે.

વારસા અંગે વિવાદનું મુખ્ય કારણ વારસાના વિવાદનું કારણ PRS ઓબેરોયની બીજા લગ્નથી થયેલી પુત્રી અનાસ્તાસિયા ઓબેરોય છે. તે ઓબેરોય ગ્રૂપની ફ્લેગશિપ કંપની EIH લિમિટેડમાં નોંધપાત્ર શેર સહિતની સંપત્તિના વિભાજનનો વિરોધ કરી રહી છે. સાવકા ભાઈ વિક્રમજીત ઓબેરોય, સાવકી બહેન નતાશા ઓબેરોય અને પિતરાઈ ભાઈઓ અર્જુન ઓબેરોય અને અનાસ્તાસિયા ઓબેરોય વચ્ચે વારસાના ભાગલાં માટે લડાઈ ચાલી રહી છે.

કેમ વિવાદ વધ્યો?

ઓબેરોય પરિવારનો વિવાદ બે વસિયતનામા પર ટકેલો છે. એક 1992 અને બીજી 2021. વધુમાં 27 ઓગસ્ટ, 2022માં કોડિસીલના કારણે વિવાદ વધુ જટિલ બન્યો હતો. કોડીસિલ એ વસિયતમાં સુધારો કરતો કાયદો છે.જેમાં વસિયતનામાને ફરીથી લખ્યા વિના ફેરફારો અથવા સુધારો-વધારો કરી શકાય છે. અનાસ્તાસિયા દાવો કરે છે કે, કોડિસીલ એ પિતાની અંતિમ ઈચ્છા હતી.

કોને કેટલો ભાગ જોઈએ?

અનાસ્તાસિયાના સાવકા ભાઈ-બહેન વિક્રમજીત, નતાશા અને પિતરાઈ ભાઈ અર્જુન ઓબેરોય 1992ના વસિયતનામાને પ્રાથમિકતા આપવાનું કહે છે. તેમણે દાવો કર્યો છે કે, તેમના ભાગના શેર ટ્રસ્ટમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે અનાસ્તાસિયા 2021નું વસિયતનામુ અને તેની સાથે આપવામાં આવેલ કોડિસીલને માન્ય ગણે છે અને તે મુજબ વારસાઈ વહેંચવા અપીલ કરી રહી છે.

દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય

અનાસ્તાસિયાનો મુખ્ય દાવો ઓબેરોય ગ્રૂપની મિલકતો પર છે, જેમાં કપાસેરા, દિલ્હીમાં પરિવારનું ઘર પણ સામેલ છે. દિલ્હી હાઈકોર્ટે તેની તરફેણમાં વચગાળાનો આદેશ જારી કર્યો છે, જેમાં કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી ઓબેરોય ગ્રૂપ સાથે સંબંધિત કોઈપણ શેર અથવા મિલકતોના ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નતાશા ઓબેરોય અને અનાસ્તાસિયા વચ્ચે વિવાદ 

અનાસ્તાસિયાની સાવકી બહેન નતાશા ઓબેરોય પરિવારના હોસ્પિટાલિટી બિઝનેસમાં મહત્ત્વની ખેલાડી છે. તેણે વાઈન ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. 2002માં તેમણે ચિંકારા વાઇન્સની સ્થાપના કરી, જે ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિત દક્ષિણ પૂર્વ એશિયાના બજારોમાં નિકાસ માટે ઓસ્ટ્રેલિયામાં ઉગાડવામાં આવતી દ્રાક્ષમાંથી પ્રીમિયમ વાઇન બનાવે છે.

નતાશાની ભૂમિકા

અનાસ્તાસિયાની જેમ, નતાશા પણ ઓબેરોય હોટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, ઓબેરોય હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ઓબેરોય પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ સહિતની ઘણી ઓબેરોય ગ્રૂપ કંપનીઓમાં ડિરેક્ટરશિપ ધરાવે છે, જે પરિવારના વારસાને આગળ વધારતાં વધુ મજબૂત સામ્રાજ્ય સ્થાપી રહી છે.

Leave a Comment