બે ડીસીપી, પાંચ એસીપી, 17 પીઆઈ, 49 પીએસઆઈ ઉપરાંતના પોલીસ કર્મી, હોમગાર્ડ, ટીઆરબી જવાનોને બંદોબસ્ત ફાળવાયો
Rajkot,તા.23
રાજકોટમાં આજે જયાપાર્વતીના વ્રતના જાગરણ પર્વે રેસકોર્ષ સહિતના વિસ્તારોમાં આખી રાત લોકો મોટી સંખ્યામાં જોવા મળશે ત્યારે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે 988 પોલીસ જવાનો ખડેપગે રહેશે.
આ પર્વ નિમિતે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં સ્પે.શાખા દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશન દીઠ ફરજો સોંપવામાં આવી છે.
આ ખાસ બંદોબસ્તમાં બે ડીસીપી, પાંચ એસીપી, 17 પીઆઈ, 49 પીએસઆઈ, 387 એએસઆઈ, હેડકોન્સ., કોન્સ. સહિતના કર્મીઓ, 87 મહિલા પોલીસ કર્મચારીઓ, 376 હોમગાર્ડ જવાનો, 60 ટીઆરપી જવાનો આ ઉપરાંત પાંચ વ્હીકલમાં ત્રણ લાઈટ વ્હીકલ અને એક બસ તેમજ વજ્ર વાહન બંદોબસ્તમાં ફાળવવામાં આવેલ છે.