Than પાસે અકસ્માતમાં ઘવાયેલા 40 લાખ 9 ટકા ના વ્યાજ સાથે વળતર મંજૂર

ટ્રેક્ટર પલટી જતા  શ્રમિક ઘવાયા બાદ  પેરાલીસીસ થયો હતો

Rajkot,તા.૦૧
થાનગઢ પંથકમાં ટ્રેક્ટર ટ્રોલી ઊંધા વળતા  સર્જાયેલા અકસ્માતમાં તેમાં બેઠેલા ખેત મજૂરને ઇજાથી ગંભીર બીમારી થઈ જવાના ૧૦ વર્ષ પહેલાના કિસ્સામાં એમએસીટી કોર્ટ દ્વારા રૂપિયા 73 લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, થાનમાં રહેતા અને ખેત મજુરી કામ કરતાં મૈયાભાઈ દાનાભાઈ રાઠોડ ગઇ તા. ૨૫/ ૦૨/ ૨૦૧૪ના રોજ ખેતરેથી ટ્રેકટરમાં જતા હતા ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી જતા તેમાં મૈયાભાઈ તેની નીચે આવી ગયેલા અને મણકાના ભાગમાં ગંભીર ઈજાઓ થવાથી તેને કમરથી નીચેના ભાગે કાયમી માટે પેરાલિસિસ થઈ ગયું હતું. આથી મૈયાભાઈ રાઠોડે  મોટર વ્હીકલ એકસીડન્ટ ટ્રિબ્યુનલમાં ઈજાના વળતર અંગેનો કેસ દાખલ કર્યો હતો, આ કેસમાં અરજદારના એડવોકેટ મૌલિક એ. જોષીની ધારદાર દલીલ અને રજુ કરેલ દસ્તાવેજો સંબંધે ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજુ કર્યા હતા અને તેને આધારે રાજકોટની વ્હીકલ એકસીડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલે સામેવાળી વીમા કંપનીને ૪૦,૧૬,૨૪૦/- ૯% વ્યાજ તથા ખર્ચ સાથે ફરીયાદની દાખલ તારીખથી ચુકવણું કરવા હુકમ ફરમાવ્યો છે. એટલે કે અરજદારને અંદાજે વ્યાજ સાથે આ રકમ ૭૩ લાખ જેવી રકમ ચૂકવવાની થઈ છે. આ કેસમાં અરજદાર વતી એડવોકેટ  મૌલિક એ. જોષી તથા ભાવેશ એચ. મકવાણા રોકાયા હતા.

Leave a Comment