Site icon Shri Nutan Saurashtra

ઝેલેન્સ્કીએ યુક્રેનના 33rd Independence Day નિવેદન આપ્યું

Ukraine, તા.૨૪

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત લઈને ભારત પરત ફર્યા છે. આ સંદર્ભમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયામાં યુદ્ધ ’પાછું આવ્યું’ છે. ઝેલેન્સ્કીએ યુક્રેનના ૩૩મા સ્વતંત્રતા દિવસે આ નિવેદન આપ્યું. તેમણે જારી કરેલા વીડિયોમાં કહ્યું કે રશિયા યુક્રેનનો નાશ કરવા માંગતું હતું, પરંતુ યુદ્ધ પાછું તેમના ઘરમાં આવી ગયું છે.

તેમણે કહ્યું કે આ વીડિયો તે સરહદી વિસ્તારમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કીવે રશિયામાં અચાનક ઘૂસણખોરી કરી હતી. વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેને ફરી એકવાર આશ્ચર્યચકિત કર્યું અને સોગંદ ખાધા હતા કે રશિયાને ખબર પડી જશે કે બદલો શું હોય છે. ૨૦૨૨માં યુદ્ધ શરૂ કરીને રશિયાએ ખોટું કામ કર્યું. રશિયા એક જ વસ્તુ ઇચ્છતું હતું કે યુક્રેનનો નાશ થાય. આજે અમે યુક્રેનનો ૩૩મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ અને દુશ્મન જે અમારી જમીન પર લાવ્યો હતો, તે હવે તેના ઘરે પાછો આવી ગયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે જે કોઈ પણ અમારી જમીન પચાવી પાડવા માંગે છે, તેને તેના વિસ્તારમાં તેનું ફળ મળશે. આ કોઈ ભવિષ્યવાણી નથી, ન તો કોઈ અભિમાન છે, ન તો કોઈ બદલો છે, આ માત્ર ન્યાય છે. ઝેલેન્સ્કીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક બીમાર અને વૃદ્ધ માણસ પણ કહ્યા, જે સતત બધાને લાલ બટનથી ધમકાવતો રહે છે, પરંતુ આ વખતે રશિયા પરેશાન છે. યુક્રેનના કુર્સ્ક આક્રમણે મોસ્કોને પરેશાન કરી દીધું છે, પરંતુ પૂર્વી યુક્રેનમાં રશિયાની પ્રગતિ ધીમી થઈ નથી.

આજે અમે યુક્રેનના ૩૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને દુશ્મન જે કંઈ પણ અમારી જમીન પર લાવી રહ્યો હતો, તે હવે પોતાના ઘરે પાછો ફર્યો છે. જે અમારી જમીનને બફર ઝોનમાં બદલવા માંગતો હતો, તેણે પોતાના દેશને બફર ફેડરેશન બનતો અટકાવવા વિશે વિચારવું જોઈએ. સ્વતંત્રતા આ રીતે જ પ્રતિક્રિયા આપે છે. હું તે બધાનો આભાર માનું છું, જે અમારા યોદ્ધાઓ અને અમારા રાજ્યની મદદ કરે છે, તે બધાનો જે અમારી સ્વતંત્રતાને જાળવી રાખવા માટે જીવે છે અને કામ કરે છે.

Exit mobile version